SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પાંચમો કર્મગ્રંથ ગાથા : પ૬ હવે કઈ પ્રકૃતિ સતત કેટલો કાળ ન બંધાય ? એમ વન્યવિદ અર્થાત્ વચન ગ્રંથકાર મહર્ષિ જણાવે છે. तिरिनरयतिजोयाणं, नरभवजुय सचउपल्ल तेसटुं। थावरचउइगविगलायवेसु पणसीइसयमयरा॥ ५६॥ (तिर्यग्नरकत्रिकोद्योतानां नरभवयुक्तं सचतुःपल्यं त्रिषष्ट्यधिकम्। स्थावरचतुष्कैकेन्द्रियविकलेन्द्रियातपेषु पञ्चाशीतिशतमतराणाम् ॥ ५६ ॥ તિનિતિનોપ-તિર્યંચત્રિક, નરકત્રિક અને ઉદ્યોતનામકર્મનો નામનુય = કેટલાક મનુષ્યભવોથી યુક્ત, સડપ = ચાર પલ્યોપમ સહિત. તેલ = ત્રેસઠ અધિક (૧૦૦), થાવરર૩ = સ્થાવર ચતુષ્ક, રૂાવિત્રિાયવેસુ = એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને આતપ નામકર્મોમાં, પUTય = એસો પંચાસી, મયર = સાગરોપમ. | પા. ગાથાર્થ = તિર્યંચત્રિક, નરકત્રિક અને ઉદ્યોતનામકર્મ એમ કુલ ૭ કર્મોનો અબંધકાળ કેટલાક મનુષ્યભવોથી યુક્ત ચાર પલ્યોપમ સહિત એકસો ત્રેસઠ સાગરોપમ છે. અને સ્થાવર ચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિય જાતિ અને આતપનામકર્મમાં એકસો પંચાસી સાગરોપમ અબંધકાળ જાણવો. | પ૬/ વિવેચન = હવે ૧૨૦ પ્રકૃતિઓમાંથી ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ ગ્રંથકારશ્રી સમજાવે છે. ૭૩ પ્રકૃતિઓ અધુવબંધી છે અને ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. ૭૩માંથી ૩૩નો અને ૪૭માંથી ૮નો ૩૩ + ૮ = ૪૧નો અબંધકાળ સમજાવાશે. આ અબંધકાળ પંચેન્દ્રિયને આશ્રયી સમજાવાશે. એટલે કે કોઈ પણ જીવ પંચેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં જ જન્મમરણ કરે અને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય કે અસંજ્ઞીમાં ન જાય, પરંતુ સતત પંચેન્દ્રિયના ભવો કરે ત્યારે જે પ્રકૃતિઓ વાસ્તવિકપણે બંધાવી જોઈએ. કારણ કે પંચેન્દ્રિય તો બધા જ ભવને યોગ્ય બંધ કરી શકે છે. છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy