SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૨૭ પાંચમો કર્મગ્રંથ ૧૧૭ બાકીના પાંચ કર્મોનો જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત માત્ર જાણવો. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષપકશ્રેણીમાં દસમાના ચરમસમયે, મોહનીયનો નવમાના ચરમસમયે, અને આયુષ્યકર્મનો પહેલા ગુણઠાણે જઘન્યબંધ જાણવો. કારણ કે મોહનીયકર્મ ૯મા પછી અને જ્ઞાનાવરણીયાદિ કર્મો ૧૦મા પછી બંધાતાં નથી. અને ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં વધારે વિશુદ્ધિ નવમે-દસમે જ હોય છે. તથા વધારે વિશુદ્ધિ વડે જ આ કર્મોની જઘન્યસ્થિતિ બંધાય છે. માટે બંધવિચ્છેદના ચરમસમયે જઘન્યસ્થિતિબંધ કહ્યો છે. અને તે પણ ક્ષપકશ્રેણીમાં જ. આયુષ્યકર્મ જો કે સાત ગુણસ્થાનક સુધી બંધાય છે. તો પણ ઉપરનાં ૫-૬-૭ વિરતિવાળાં ગુણસ્થાનકોમાં વર્તતા જીવો દેવાયુષ્ય જ બાંધે છે. અને તે પણ વૈમાનિકનું જ આયુષ્ય બંધાતું હોવાથી જઘન્યથી પણ બે પલ્યોપમનું હોય છે તથા ચોથે ગુણઠાણે પણ જો દેવાયુષ્ય બંધાય તો વૈમાનિકનું જ બંધાય છે. અને ચોથે ગુણઠાણે મનુષ્યાયુષ્ય પણ બંધાય છે. પરંતુ તેના બંધક દેવ-નારકી જ હોય છે. તેઓ ચોથા ગુણઠાણાવાળા સમ્યગ્દષ્ટિ હોવાથી મિથ્યાત્વી જીવો કરતાં વધારે વિશુદ્ધિવાળા હોવાથી આ પુણ્યપ્રકૃતિની મિથ્યાત્વી જેવી જઘન્યસ્થિતિ બાંધતા નથી. ત્રીજે ગુણસ્થાનકે આયુષ્યકર્મ બંધાતું જ નથી. સાસ્વાદને જો કે દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય એમ ત્રણ આયુષ્ય બંધાય છે. પરંતુ આ ત્રણે આયુષ્યો પુણ્યપ્રકૃતિ છે. તે ત્રણની જઘન્યસ્થિતિ સંક્લિષ્ટતાએ બંધાય છે. મિથ્યાત્વે જેટલી સંક્લિષ્ટતા સંભવે તેટલી સંક્લિષ્ટતા સાસ્વાદને સંભવતી નથી. તેથી એક ક્ષુલ્લકભવ જેટલું તિર્યચ-મનુષ્પાયુષ્ય અને દસ હજાર વર્ષનું દેવાયુષ્ય મિથ્યાત્વે જ બંધાય છે. માટે સાસ્વાદને પણ જઘન્યસ્થિતિ બંધાતી નથી. આ રીતે મિથ્યાત્વે જઘન્યસ્થિતિ બંધાય છે. બે ઘડીના સમયને (૪૮ મિનિટના કાળને) મુહૂર્ત કહેવાય છે. તેમાં કંઈક ઓછું તે અંતર્મુહૂર્ત જાણવું. ક્ષુલ્લકભવનું આયુષ્ય એ પણ અંતર્મુહૂર્ત જ જાણવું. આટલું જઘન્યાયુષ્ય ઉપરોક્ત યુક્તિઓથી પહેલે ગુણઠાણે જ બંધાય છે. || ૨૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy