SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૨૪ છે. ત્યારબાદ પડતાં પડતાં સાસ્વાદને કે મિથ્યાત્વે આવે ત્યારે ૯નો બંધ શરૂ કરતાં પ્રથમસમયે નવના બંધનો બીજો ભૂયસ્કાર. પરંતુ બીજા સમયથી નવના બંધનો અવસ્થિતબંધ કહેવાય છે. આ રીતે ૪ થી ૬ ના બંધે જતાં પ્રથમ, અને ૬થી ૯ ના બંધે જતાં બીજો એમ બે ભૂયસ્કારબંધ થાય છે. તથા આ દર્શનાવરણીયકર્મમાં ૨ અલ્પતરબંધ થાય છે. પહેલાબીજા ગુણઠાણે ૯નો બંધ ચાલુ છે. પરંતુ પહેલેથી ત્રીજા અથવા ચોથા આદિ ગુણઠાણે જતાં ૬નો બંધ શરૂ થાય છે. ત્યાં પ્રથમ સમયે છ નો પહેલો અલ્પતર. અને બીજા સમયથી દુનો અવસ્થિતબંધ થાય છે. તથા શ્રેણીમાં ચઢતાં આઠમા ગુણઠાણાના બીજા ભાગથી ૪નો બંધ શરૂ થતાં પ્રથમસમયે બીજો અલ્પતરબંધ થાય છે. અને બીજા સમયથી ૪નો અવસ્થિતબંધ કહેવાય છે. આ પ્રમાણે ના બંધથી ૬ના બંધે જતાં પહેલો, અને ૬ના બંધથી ૪ના બંધે જતાં બીજો એમ બે અલ્પતર બંધ થાય છે. ૯-૬-૪ એમ ત્રણે બંધસ્થાનકોમાં પહેલા સમયે ભૂયસ્કાર અથવા અલ્પતર યથાયોગ્ય થાય છે. પરંતુ બીજા સમયથી તે બંધ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અવસ્થિતબંધ કહેવાય છે. તેથી અવસ્થિતબંધ ૯, ૬ અને ૪ એમ ત્રણ થાય છે. અગિયારમા ગુણઠાણેથી બે રીતે પતન થાય છે. (૧) અદ્ધાક્ષયથી અને (૨) ભવક્ષયથી. અદ્ધાક્ષયથી જો પડે તો દસમે ગુણઠાણે આવતાં ૪નો બંધ શરૂ થાય છે. અગિયારમે ગુણઠાણે દર્શનાવરણીયકર્મનો સર્વથા અબંધક થઈને દસમે આવતાં ચારનો બંધ શરૂ થતાં પ્રથમ સમયે પ્રથમ અવક્તવ્યબંધ થાય છે. અને બીજા સમયથી અવસ્થિતબંધ કહેવાય છે. તથા જો ભવક્ષયથી પડે તો મૃત્યુ પામીને કેટલાક ગ્રન્થોના આધારે વૈમાનિકદેવ, અને કેટલાક ગ્રન્થોના આધારે અનુત્તરદેવ થાય છે. ત્યાં છ નો બંધ શરૂ થાય છે. છ નો બંધ શરૂ થતાં પ્રથમ સમયે બીજો અવક્તવ્યબંધ થાય છે. આ પ્રમાણે ૪નો અને ૬નો એમ બે અવક્તવ્યબંધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy