SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ગાથાર્થ - સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે જીવભેદમાં છ એ વેશ્યા હોય છે. અપર્યાપ્તા બાદર એકેન્દ્રિયમાં પ્રથમની ચાર લેશ્યા હોય છે. શેષ જીવસ્થાનકોમાં ત્રણ લેશ્યા હોય છે. તથા તેર જીવસ્થાનકોમાં સાત-આઠ કર્મોનો બંધ અને ઉદીરણા હોય છે. તથા આઠ કર્મોની સત્તા અને ઉદય હોય છે. . ૭ છે વિવેચન - સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે જીવભેદને વિષે છએ વેશ્યા હોય છે. શુભ-અશુભ પરિણામોનો સંભવ અહીં હોવાથી એ લેશ્યા હોઈ શકે છે. અહીં જે સંજ્ઞી અપર્યાપ્તા કહ્યા છે. તે કરણ અપર્યાપ્તા સમજવા. જેથી તીર્થંકર આદિ મહાપુરુષો જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે ત્યારે શુભ લેશ્યાઓ સંભવે છે. પરંતુ જો લબ્ધિ અપર્યાપ્તા લઈએ તો તેઓ અપર્યાપ્ત અવસ્થામાં જ નિયમા મૃત્યુ પામનાર હોવાથી અશુભ પરિણામના કારણે નિયમા પ્રથમની ત્રણ કૃષ્ણ-નીલ અને કાપોત લેશ્યા જ હોય છે. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તાને પ્રથમની ચાર લેશ્યા હોય છે. ત્યાં કૃષ્ણાદિ પ્રથમની ત્રણ અશુભ લેગ્યા તો ભવસ્વભાવે હોય જ છે. તથા ભવનપતિવંતર-જ્યોતિષ્ઠ-સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો ત્યાંથી ચ્યવીને રત્નાદિક પૃથ્વીકાયમાં, જલાશયની વાવડીના અપ્લાયમાં, અને કમલાદિ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં આ બધા દેવો ઘંટાલાલાન્યાયે પોતાના ભવની તેજોલેશ્યા સાથે ઉપરોક્ત ત્રણ એકેન્દ્રિયમાં જન્મે છે. માટે ત્યાં ચોથી તેજલેશ્યા અપર્યાપ્તાવસ્થામાં કેટલોક કાળ સંભવે છે. બાકીના ૧૧ જીવસ્થાનકમાં પ્રથમની ત્રણ કૃષ્ણ-નીલ અને કાપોત લેશ્યા જ હોય છે. કારણ કે આ અગિયારે જીવભેદો હંમેશાં અશુભ પરિણામ વાળા છે. અને તેજો આદિ લેશ્યાઓ શુભપરિણામ વાળી છે. માટે ત્યાં સંભવતી નથી. આ પ્રમાણે લેશ્યાદ્વાર પૂર્ણ થયું. હવે બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા દ્વાર કહે છે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા વિના શેષ તેર જીવસ્થાનકોમાં સાત અને આઠ મૂલકર્મનો બંધ હોય છે. પરભવનું આયુષ્ય બાંધે ત્યારે આઠનો બંધ અને આયુષ્ય ન બાંધે ત્યારે સાતકર્મનો બંધ હોય છે. આયુષ્યકર્મનો બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy