SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ તે અસત્યમનયોગ. કંઈક સત્ય અને કંઈક અસત્ય એમ ઉભયસ્વભાવવાળું ચિંતન-મનન જેમ કે ઘણી જુદી જુદી જાતિના મનુષ્યો એક શહેરમાં રહેતા હોવા છતાં પ્રધાનતાએ જૈનો વસતા હોય ત્યાં “જૈનપુરી” એમ વિચારવું તે સત્યાસત્ય મનયોગ. તથા સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં એવું વ્યવહારમાત્રનું જે ચિંતન-મનન તે અસત્યામૃષા મનયોગ. આ જ પ્રમાણે સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને અસત્યામૃષા વચનયોગ પણ બોલવા સ્વરૂપે ચાર પ્રકારે છે. કાયયોગના સાત પ્રકાર છે. (૧) ઔદારિક, (૨) ઔદારિક મિશ્ર, (૩) વૈક્રિય, (૪) વૈક્રિયમિશ્ર (૫) આહારક, (૬) આહારક મિશ્ર અને (૭) કામર્શકાયયોગ. (૧) મનુષ્ય અને તિર્યંચોને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિકકાયયોગ. (૨) તે જ મનુષ્ય-તિર્યંચોને અપર્યાપ્ત અવસ્થામાં કાર્મણની સાથે ઔદારિક મિશ્ર. તથા કેવલી સમુદ્ધાતમાં બીજા, છઠ્ઠા અને સાતમા સમયે પણ ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. દેવ-નારકીને અપર્યાપ્તાવસ્થામાં કાર્મણની સાથે વૈક્રિય મિશ્રકાયયોગ તથા મનુષ્ય-તિર્યો કે જે વૈક્રિયલબ્ધિવાળા હોય છે તેઓ વૈક્રિય બનાવે ત્યારે પ્રારંભ કાળે (અને મતાન્તરે પરિત્યાગ કાળે પણ) ઔદારિકની સાથે વૈક્રિયમિશ્ર. (૫) ચૌદ પૂર્વધરને આહારક શરીરની વિદુર્વણાના કાલે આહારક, (૬) તથા તે જ આહારક બનાવતા મુનિને પ્રારંભકાળે (અને મતાન્તરે પરિત્યાગ કાળે પણ) ઔદારિકની સાથે આહારક મિશ્ર. (૭) ચારે ગતિના જીવોને વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમસમયે તથા કેવલિસમુદ્ધાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે કાર્પણ કાયયોગ હોય છે. - સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા, બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, વિકલેન્દ્રિય અપર્યાપ્તા અને અસંજ્ઞી પંચેઅપર્યાપ્તા એમ કુલ છ અપર્યાપ્તામાં વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમસમયે કાર્મણકાયયોગ હોય છે તથા ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. આ કાર્મણની સાથે ઔદારિકમિશ્ર યોગ જાણવો. છએ લબ્ધિ અપર્યાપ્તા હોય કે કરણ અપર્યાપ્તા હોય એમ બને અપર્યાપ્તા જીવોને સ્વયોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા સુધી ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy