________________
૨૫૪
શબ્દાર્થ રવીને = ખાલી થયે છતે,
| તયં = ત્રીજા પ્યાલાને, સત્તાક = શલાકાપ્યાલો,
| તેહિં = તે ત્રીજા પ્યાલા વડે, તરૂણ = ત્રીજા પ્યાલામાં,
ન = અને, પર્વ = આ પ્રમાણે,
તુરિયે = ચોથા પ્યાલાને, પહિં = પ્રથમ એવા
ન = યાવત અનવસ્થિત પ્યાલાઓ વડે, વીયર્થ = બીજા શલાકાને,
ત્નિ = ખરેખર, મરજુ = ભરો,
કુડા = અત્યન્ત ભરેલા, તેદિ = તે શલાકા વડે, | વડર = ચારે ભરેલા કરવા.
પદ્ધતિ સ્તુરિયા = પ્રથમ ત્રણ પ્યાલા વડે વ્યાપ્ત એવા, ટીવુદી = દ્વીપ અને સમુદ્રો(માં પડેલા દાણા), = અને, પન્નવસરિસવી = ચારે પ્યાલાના દાણા, સવ્વો વિ= સર્વે પણ, 9 રાસી = એક ઢગલો કરતાં, વૂળો = એક દાણો ઓછો કરીએ તો, પતંરિવર્ગ = ઉત્કૃષ્ટ સંખ્યાતું થાય છે. II૭૭
ગાથાર્થ - શલાકા પ્યાલો ઠલવાયે છતે ત્રીજા પ્યાલામાં સાક્ષીદાણો નાખવો. એમ પ્રથમ અનવસ્થિત પ્યાલાઓ વડે બીજા શલાકાને ભરો, તે શલાકા વડે ત્રીજા પ્રતિશલાકાને ભરો, અને ત્રીજા પ્રતિશલાકા વડે ચોથા મહાશલાકાને ભરો. એમ કરતાં જયારે યાવત્ ચારે પ્યાલા શિખા સહિત સંપૂર્ણ ભરાય છે ત્યારે ૭૬ છે
પ્રથમના ત્રણ પ્યાલાઓ દ્વારા દ્વિીપ-સમુદ્રોમાં નખાયેલા દાણા, અને આ ચાર પ્યાલાના ભરેલા દાણા, એમ સર્વેનો એક રાશિ કરતાં, તેમાંથી ૧ દાણો ઓછો કરીએ તો ઉત્કૃષ્ટ સંખ્યાતું થાય છે. ૭૭
વિવેચન - જોકે આ બન્ને ગાથાઓનું વિવેચન પૂર્વની ૭૫મી ગાથામાં આવી જ ગયું છે. તો પણ એટલી સ્પષ્ટતા જાણવી કે વારંવાર મોટા મોટા થતા જતા માપવાળા અનવસ્થિત પ્યાલાના જ સાક્ષીદાણા દ્વારા શલાકા ભરવો. અને અનવસ્થિતના સાક્ષીદાણા માત્ર શલાકામાં જ નાખવા. તેવી જ રીતે જંબૂદ્વીપ જેવડા નિયત માપવાળા શલાકાના જ સાક્ષીદાણા પ્રતિશલાકામાં નાખવા. તથા શલાકાના સાક્ષીદાણા માત્ર પ્રતિશલાકામાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org