SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ૧, | उवसमखयमीसोदय-परिणामा दु नव द्वार इगवीसा । तिअभेअ सन्निवाइय, सम्मं चरणं पढमभावे ॥ ६४॥ (उपशमक्षयमिश्रोदयपरिणामाः द्वौ नवाष्टादशैकविंशतिः । ત્રિભેદ્રસિનિપતિ, સખ્યત્વે વરVાં પ્રથમમાd. I ૬૪ I) શબ્દાર્થ૩વરામ = પશિમકભાવ, કુર = અઢાર, વય = ક્ષાયિકભાવ, ફાવી = એકવીશ, મીસ = મિશ્ર-ક્ષયોપશમભાવ, તિબેગ = ત્રણ ભેદો, ૩૬ = ઔદયિકભાવ, નિવાર્ય = સાન્નિપાતિકભાવ, પરિણામ = પરિણામિકભાવ, સમાં = સમ્યકત્વ, ઘર = ચારિત્ર ૬ = બે, નવ = નવ, પઢમાવે = પ્રથમ ભાવમાં છે. ગાથાર્થ ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પરિણામિક એમ પાંચ ભાવો છે. તેના અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદો છે. પ્રથમ ઔપશમિકભાવના સમ્યકત્વ અને ચારિત્ર એમ બે ભેદ છે. ૬૪ વિવેચન- હવે પાંચ પ્રકારના ભાવોનું સ્વરૂપ સમજાવાય છે. “ભાવ એટલે જીવ અજીવ આદિ પદાર્થોનું સ્વરૂપ” આ બાબતમાં કેટલુંક સ્વરૂપ કર્મોની અપેક્ષા રાખે છે. અને કેટલુંક સ્વરૂપ કર્મોથી નિરપેક્ષ છે. અર્થાત્ સહજ છે. કર્મોની અપેક્ષાએ જે અવસ્થા=સ્વરૂપ થાય છે. તે ભાવના ચાર ભેદ છે. તે આ પ્રમાણે (૧) રસોડામાં સળગતા અગ્નિને તેની ઉપર રાખ નાખીને જેમ દબાવી દેવામાં આવે તેમ સમ્યક્ત્વગુણની તથા ચારિત્રગુણની આડે આવનારા અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ અને દર્શનમોહનીય ત્રણ આ સાત દર્શન સપ્તકનો તથા મોહનીયકર્મની શેષ ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરવાથી તરસથી કે પ્રદેશથી એમ બંને પણ પ્રકારના) તે કર્મોના અનુદયને લીધે જે સ્વરૂપ પ્રગટ થાય તે “ઔપથમિકભાવ” છે. આ ભાવ જીવને જ હોય છે. અજીવને હોતો નથી. તેના બે ભેદ છે. (૧) સમ્યક્ત અને (૨) ચારિત્ર. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy