SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અનિવૃત્તિએ અતિશય વિશુધ્ધમાન હોવાથી આયુબંધ કરતો નથી. તેથી આયુષ્ય વિના શેષ સાત કર્મો આ ત્રણ ગુણઠાણાવાળા જીવો બાંધે છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણે વર્તતા જીવો આયુષ્ય અને મોહનીય વિના શેષ છ કર્મો બાંધે છે. અતિશય વિશુધ્ધમાન હોવાથી આયુષ્યકર્મનો બંધ કરતા નથી. તથા મોહનીયકર્મનો બંધ બાદર કષાયના ઉદયના નિમિત્તે જ થાય છે. અને તે - બાદર કષાયનો ઉદય દસમે ગુણઠાણે નથી તેથી દસમે વર્તતા જીવો મોહનીયકર્મ બાંધતા નથી. દસમાથી ઉપરના ગુણસ્થાનકવર્તી જીવો એટલે કે ૧૧-૧૨-અને ૧૩માં ગુણસ્થાનકવાલા જીવો માત્ર એક વેદનીય કર્મનો જ બંધ કરે છે કારણ કે જ્ઞાનાવરણીયાદિ શેષ છ કર્મોનો બંધ કષાયપ્રત્યયિક છે. અને આ ગુણસ્થાનકોમાં કષાય નથી. તેથી સાત કર્મોનો બંધ થતો નથી. માત્ર વેદનીયકર્મનો બંધ યોગ પ્રત્યયિક હોવાથી અને આ ત્રણે ગુણસ્થાનકોમાં મન-વચન તથા કાયાનો યોગ હોવાથી વેદનીય કર્મ બંધાય છે. અયોગી ગુણઠાણે કર્મબંધના ચારે હેતુઓ ન હોવાથી એક પણ કર્મ જીવો બાંધતા નથી. આપા ગુણસ્થાનકોમાં બંધ કહીને હવે ઉદય અને સત્તા જણાવે છે. आसुहुमं संतुदए, अट्ठ वि मोह विणु सत्त खीणमि। ૨૩ રિમો. ટ્ટ ૩, તે વસંતિ સંતુલા ૬૦ | (आसूक्ष्मं सत्तोदययोरष्टावपि, मोहं विना सप्त क्षीणे। चत्वारि चरिमद्विके, अष्टावपि सत्तायामुपशान्ते सप्तोदये ॥ ६०॥) શબ્દાર્થસાસુહુi = સૂક્ષ્મપરાય સુધી, 1 વ8 વરિષદુ = છેલ્લા બે ગુણઠાણે સંતુE = સત્તા અને ઉદયમાં, ચાર કર્મ, ગટ્ટ વિ = આઠે કર્મો પણ, અ૬૩ સંતે = સત્તામાં આઠે કર્મ, મોદ વિષ્ણુ = મોહનીય વિના, ૩વસંતે = ઉપશાન્તમોહે, સત્ત રવીન = ક્ષણમોહે સાત, 1 સજીવ = ઉદયમાં સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy