________________
૨૦૧
ચૌદ ગુણસ્થાનકોમાં બંધહેતુઓ કહ્યા. હવે આ જ ગુણસ્થાનકોમાં બંધઉદય-ઉદીરણા અને સત્તા કહેવાનાં છે. ત્યાં પ્રથમ બંધ કહે છે.
अपमत्तंता सत्तट्ठ, मीस अपुव्व बायरा सत्त । बंधइ छस्सुमो एगमुवरिमा बंधगाजोगी ॥ ५९॥ (અપ્રમત્તાન્તા: સપ્તાૌ, મિત્રાપૂર્વવારા: સપ્ત । बध्नाति षट् सूक्ष्मः एकमुपरिमा अबंधकोऽयोगी ॥ ५९ ॥ ) શબ્દાર્થ
| बंध બાંધે છે,
છસુહુમો = સૂક્ષ્મસંપરાયવાળા છે, પામુવિમા =ઉપરના ગુણસ્થાનકવાળા
એક,
अपमत्तंता
सत्त
मीस
–
અપ્રમત્ત સુધીના,
સાત અથવા આઠ,
મિશ્ર,
अपुव्व
અપૂર્વકરણ,
बायरा - બાદરસંપરાયવાળા, સાત કર્મ બાંધે,
सत्त
=
અંધાનોની =અયોગી ગુણઠાણાવાળા અબંધક છે.
ગાથાર્થ- અપ્રમત્ત ગુણઠાણા સુધીના જીવો સાત અથવા આઠ કર્મ બાંધે છે. મિશ્ર-અપૂર્વકરણ અને બાદ૨સંપરાય ગુણઠાણાવાળા જીવો સાત કર્મો બાંધે છે. સૂક્ષ્મ સંપરાયવાળા છ કર્મ બાંધે છે. ઉપરના ત્રણ ગુણઠાણાવાળા એક કર્મ બાંધે છે. અને અયોગી જીવ અબંધક છે. પા
વિવેચન- મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનક સુધીના જીવો (ત્રીજા ગુણસ્થાનક વિના) મૂલ આઠ કર્યો પણ બાંધે છે અને સાત કર્યો પણ બાંધે છે. આયુબંધકાલે આઠ અને શૈષકાલે સાત કર્મો બાંધે છે. આયુબંધ ભવમાં એક જ વાર હોય છે. અને તે આયુબંધનો કાલ પણ અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. તેથી તે અંતર્મુહૂર્ત કાલે આઠ અને શેષકાલે સાત કર્મ જીવો બાંધે છે.
Jain Education International
ત્રીજા મિશ્ર ગુણઠાણે, આઠમા અપૂર્વકરણે, અને નવમા અનિવૃત્તિ બાદ૨ સંપ૨ાયે વર્તતા જીવો આયુષ્યકર્મ વિના સાત કર્મ જ બાંધે છે. કારણ કે મિશ્ર વર્તતો જીવ તથાસ્વભાવે આયુબંધ કરતો નથી. અને અપૂર્વે તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org