SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ગાથાર્થ આહારકદ્ધિક વિના મિથ્યાત્વે પંચાવન, પાંચ મિથ્યાત્વ વિના સાસ્વાદને પચાસ, બે મિશ્રયોગ, કાર્પણ કાયયોગ, અને અનંતાનુબંધી વિના મિત્રે તેતાલીસ, હવે ચોથે છેતાલીસ કયા ? તે કહેવાય છે . પપ છે વિવેચન- મિથ્યાત્વ ગુણસ્થાનકે જુદા જુદા જીવોને આશ્રયી અથવા એકજીવને કાલભેદ આશ્રયી કુલ પંચાવન બંધહેતુ હોય છે. પન્નર યોગમાંથી આહારકકાયયોગ અને આહારકમિશ્રકાયયોગ આ બે પહેલે ગુણઠાણે સંભવતા નથી. કારણ કે “સંયમવતાં તત્વો નાચતિ" ચારિત્રવાળા ચૌદ પૂર્વધર જ આહારક બનાવી શકે છે. અને તે પહેલા ગુણઠાણે નથી. માટે પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચ્ચીસ કષાય અને (આહારકદ્વિક વિના) તેર યોગ એમ પંચાવન બંધહેતુઓ મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. કોઈ પણ એક જીવને એકકાળે કેટલા હેતુ હોય તે આગળ અઠ્ઠાવનમી ગાથાના વિવેચનમાં કહીશું. પાંચ પ્રકારના મિથ્યાત્વ વિના સાસ્વાદન ગુણઠાણે પચાસ બંધહેતુ હોય છે. સાસ્વાદને પણ ચારિત્ર અને ચૌદપૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારકકિક તો નથી જ, પરંતુ મિથ્યાત્વનો ઉદય ન હોવાથી અભિગૃહીતાદિ પાંચ પ્રકારનું મિથ્યાત્વ પણ સાસ્વાદને નથી. તેથી ઉપર કહેલા પંચાવનમાંથી પાંચ મિથ્યાત્વ બાદ કરતાં પચાસ બંધહેતુ હોય છે. મિશ્ર ગુણઠાણે આ પચાસમાંથી ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર એમ બે - મિશ્રયોગ, કાર્મણકાયયોગ, અને અનંતાનુબંધી ચાર કષાય એમ સાત બંધહેતુ વિના શેષ તેતાલીસ બંધહેતુ હોય છે. મિશ્રગુણઠાણે વર્તતા જીવો મૃત્યુ પામતા નથી. તેથી વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થા આવતી નથી. તે માટે વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં સંભવતા ત્રણ યોગો હોતા નથી. તથા અનંતાનુબંધી ચાર કષાયનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ છે. તેથી ત્રીજે આ ચાર કષાય નથી. માટે ત્રીજે ગુણઠાણે ૪૩ બંધહેતુ છે. આ સર્વે બંધહેતુઓ અનેક જીવોને આશ્રયી અથવા એક જીવને કાળભેદ આશ્રયી સમજવા. એક જીવને એકકાળે કેટલા બંધહેતુ હોય તે અઢાવનમી ગાથાના વિવેચનમાં સમજાવીશું. હવે ચોથા ગુણઠાણે છેતાલીસ બંધહેતુઓ હોય છે. તે સમજાવે છે . પપ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy