SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તન રસીવિચ્છિામ:, તથવિધ~ાયાભાવાત્ ત, પ્રોવોમિત્તિા પરંતુ વૈક્રિય શરીરની રચનાનું અકરણ એ જ મુખ્ય કારણ જણાય છે. દેશવિરતિ ગુણઠાણે પર્યાપ્તા મનુષ્ય અને પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ જ હોય છે તેઓને ચાર મનના, ચાર વચનના અને ઔદારિકકાયયોગ એમ નવ યોગો સામાન્યથી સંભવે છે. તથા વૈક્રિયલબ્ધિવાળા પોતિર્યો અને મનુષ્યો પ્રયોજનવશથી અંબડ શ્રાવકની જેમ વૈક્રિયશરીરની રચના કરી શકે છે તેથી પ્રારંભમાં વૈક્રિયમિશ્ર અને પછી વૈક્રિયકાયયોગ એમ બે યોગ ઉમેરતાં કુલ ૧૧ યોગો હોય છે. ચૌદપૂર્વના અધિગમનો અભાવ હોવાથી આહારકના બે યોગો ન હોય, તથા ઔદારિકમિશ્ર અને કાર્પણ અપર્યાપ્તાવસ્થાભાવિ છે અને તે વખતે વિરતિનો અભાવ છે તેથી તે યોગો અહીં સંભવતા નથી. જે ૪૬ साहारदुग पमत्ते, ते विउव्वाहार मीस विणु इयरे । कम्मुरलदुगंताइममणवयण सजोगि न अजोगी ॥ ४७ ॥ (साहारकद्विकाः प्रमत्ते, ते वैक्रियाहारकमिश्रं विनेतरे ॥ कार्मणौदारिकद्विकान्तादिमनोवचनयोगास्सयोगिनि नायोगिनि ॥ ४७॥) શબ્દાર્થ સાવરકુ = આહારકદ્ધિકસહિત, | મુરત, કાર્મણ-ઔદારિકદ્વિક, મિત્તે= પ્રમત્તગુણઠાણે. બંતામ= પહેલા-છેલ્લા, તે- તે જ તેર યોગો, મવિયન= મનયોગ, વચનયોગ, વિડOીદારની વિગુ= વૈક્રિય અને | સંગો સયોગિગુણઠાણે, આહારકમિશ્ર વિના, | મનોજી- અયોગગુણઠાણે યોગ - ઈતર-અપ્રમત્તમાં, નથી. ગાથાર્થ = પૂર્વે ૧૧ યોગ કહ્યા છે તે આહારકદ્ધિકસહિત ૧૩ યોગ પ્રમત્તે હોય છે. તેમાંથી વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના શેષ ૧૧ યોગ અપ્રમત્તે હોય છે. કાર્મણ, ઔદારિકદ્વિક, પહેલો અને છેલ્લો મનયોગ અને વચનયોગ એમ ૭ યોગ સયોગીએ હોય છે. અયોગીએ યોગ હોતા. નથી. ૪૭ના વિવેચન - આગલી ૪૬ મી ગાથામાં અન્ને દેશવિરતિ ગુણઠાણે જે ૧૧ યોગો કહ્યા છે. તેમાં આહારદ્ધિક સહિત કરો એટલે ૧૩ યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy