SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ સંભવે છે. તેના કરતાં પદ્મલેશ્યામાં જીવો સંખ્યાતગુણા જાણવા. કારણ કે સનકુમાર, માહેન્દ્ર અને બહ્મલોકવર્તી દેવો, તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોમાં પદ્મવેશ્યા હોય છે. અને તે સનત્કમારાદિ ત્રણ દેવલોકવર્તી દેવો પૂર્વના લાન્તકાદિ દેવો કરતાં સંખ્યાતગુણા હોય છે. સનત્યુHRાલિદેવાનાં ૨ સાન્તાત્વેિગસંધેિયાત્વિાત (જાઓ સ્વોપજ્ઞટીકા) (જો કે પંચસંગ્રહ દ્વાર બીજુ ગાથા ૬૭માં લાન્તક કરતાં બ્રહ્મલોકાદિ ક્રમશઃ અસંખ્યાતગુણ પણ કહ્યા છે.) તથા પ્રજ્ઞાપના સૂત્રમાં પણ ત્રીજા અલ્પબદુત્વ પદના અધિકારમાં ગાથા૨૭૦માં નીચે મુજબ પાઠ છે. एएसिं णं भंते जीवाणं सलेस्साणं किण्हलेसाणं नीललेसाणं काउलेस्साणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साणं अलेस्साणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वथोवा जीवा सुक्कलेस्सा ૧. આ ગાથાની ટીકામાં કર્મભૂમિ જ મનુષ્ય-તિર્યંચ કહ્યા છે. અને શ્રી ગુણચંદ્રસૂરિજીના શિષ્ય શ્રી મતિચંદ્રજીકૃત બાલાવબોધમાં અકર્મભૂમિજ મનુષ્ય-તિર્યંચ કહ્યા છે. છતાં વિચાર કરતાં “અકર્મભૂમિજ” સંગત લાગતું નથી. કારણ કે યુગલિકો મરીને સ્વાયુષ્ય પ્રમાણવાળા જ દેવોમાં જાય છે. તેથી ઈશાન સુધી જ જાય છે. ત્યાં ભવનપતિ આદિમાં પ્રથમની ચાર, જયોતિષ. સૌધર્મ-ઇશાનમાં તેજલેશ્યા જ હોય છે. શાસ્ત્રમાં પાઠ આવે છે કે જેણે મરવું, તનેવવન જે વેશ્યાવાળામાં મરે તે વેશ્યાવાળામાં જ ઉત્પન્ન થાય. હવે જો યુગલિકમાં શુક્લલેશ્યા માનીએ. તો તેઓ મરીને શુક્લલેશ્યાવાળા લાન્તકાદિમાં જન્મવા જોઇએ. તેથી અકર્મભૂમિ બરાબર સંગત લાગતું નથી. તથા સ્વપજ્ઞ ટીકામાં પણ "પુરવ વર્મનિષ મનુષ્યસ્ત્રીપુંસેવુ તિરસ્ત્રીપુતેષ વ ષવિત્ સંવ્યાતિવર્ષાયુપુ ગુવનેશ્યા સમવાત આવો પાઠ છે. ત્યાં પણ એક શંકા રહ્યા કરે છે. કે પ્રથમ પૂમિનેષ લખ્યું જ છે. તો પછી પાછળ ફરીથી સંધ્યાતવયુવુ લખવાની જરૂરિયાત શું? કદાચ એવી કલ્પના કરીએ કે પાછળ આ પદ આવતું હોવાથી પ્રથમ પદમાં અપૂરજેવું” હોય અને પ્રેસદોષથી એ ન છપાયો હોય તો પણ અકર્મભૂમિજન્ય જીવો ઈશાન સુધી જ જાય છે. ત્યાં શુક્લલેશ્યા કેવી રીતે માનવી તે શંકાસ્પદ રહે છે. તથા વળી ટકામાં વપૂમિનેષુ લખ્યા પછી મનુષ્યત્રીપુલેષ તિવસ્ત્રીપુલેj ૨ એવો ઉલ્લેખ કર્યો છે તેથી જો સ્ત્રી-પુરુષ જ લેવાના હોય અને નપુંસક ન લેવાના હોય તો ગ્રંથકારને અકર્મભૂમિજન્ય જ ઈષ્ટ હોય એમ પણ લાગે છે. અને તેથી જ પાછળના પુર્વ સંધ્યાતવયુષ પદમાં આવા સ્ત્રી-પુરુષનો ઉલ્લેખ કર્યો નથી. તેથી તે ત્રણે વેદવાળા ઈષ્ટ હોય અને પૂર્વપદમાં સ્ત્રી-પુરુષ જ ઈષ્ટ હોય તો ટીકાનો અને બાલાવબોધનો અભિપ્રાય સરખો થાય છે પરંતુ તે અકર્મભૂમિજન્યમાં શુલ્લેશ્યા કેવી રીતે હોય? તે શંકાસ્પદ રહે છે. કેઈ લહીયાના દોષથી પાઠભેદ થયો હોય તે વિદ્વાન્ ગીતાર્થ મહાત્માઓએ વિચારવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy