SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉપયોગ સંભવે છે. કારણ કે આ માર્ગણાઓ કોઈ તેર ગુણઠાણા સુધી અને કોઈ ચૌદ ગુણઠાણા સુધી સંભવે છે. તેથી મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન-દર્શન પણ હોય છે. અહીં ત્રણ વેદ તે અભિલાષારૂપ ભાવવેદ લીધા નથી. કારણ કે ભાવવેદ આશ્રયી જીવને નવ જ ગુણસ્થાનક હોય છે. ત્યાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઘટે નહીં. પરંતુ શરીરના આકારની રચનારૂપ દ્રવ્યવેદ લીધો છે. તે તેરમે-ચૌદમે પણ હોય છે. શાસ્ત્રમાં પંદર ભેદે સિદ્ધ થાય છે એમ કહ્યું છે. ત્યાં સ્થિતિ સિદ્ધા, પુરિસતિસિદ્ધ ઇત્યાદિ પાઠ છે તેથી ત્રણે લિંગે સિદ્ધ થાય છે. તથા કેવલી ભગવાન દ્રવ્યમન આશ્રયી સંજ્ઞી છે. એમ પ્રસિદ્ધવ્યવહારને આશ્રયી કહ્યું છે. ચક્ષુદર્શન-અચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ-કાપોત-તેજો અને પદ્મ એમ પાંચ લેશ્યા, ક્રોધ-માન-માયા-અને લોભ એમ ચાર કષાય કુલ ૧૧ માર્ગણામાં ૧ થી ૧૨ સુધીનાં જ યથાયોગ્ય ગુણસ્થાનક સંભવે છે. તેરમું-ચૌદમું ગુણસ્થાનક સંભવતું નથી. તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન વિના શેષ ૧૦ ઉપયોગ હોય છે. આ પ્રમાણે આ ગાથામાં ૧૩+૧૧=૨૪ ચોવીસ માર્ગણામાં ઉપયોગ સમજાવ્યા. તે ૩૧ चउरिं दिअसन्निदुअन्नाण दुदंस इगबिति थावरि अचक्छु। तिअनाणदंसणदुगं अनाणतिगि अभव्वि मिच्छदुगे॥ ३२॥ (चतुरिन्द्रियासंज्ञिनो: अज्ञानद्विकदर्शनद्विकेएकद्वित्रीन्द्रियस्थावरेषुचक्षुहीनाः । अज्ञानत्रयदर्शनद्विके अज्ञानत्रिके अभव्ये मिथ्यात्वद्विके ॥३२॥ શબ્દાર્થવરિંગિક ચઉરિન્દ્રિય, અવq= ચક્ષુદર્શન વિના, શનિ= અસંજ્ઞીમાર્ગણામાં, તિગનાખ= ત્રણ અજ્ઞાન, યુગનાખ= બે અજ્ઞાન, અને રંતુi= બે દર્શન, કુવંસM= બે દર્શન, નાગતિનિ= ત્રણ અજ્ઞાનમાં ફવિતિ= એકેન્દ્રિય, હીન્દ્રિય બૅિક અભવ્ય, અને અને તે ઇન્દ્રિય તથા થાવરે= પાંચ સ્થાવરમાં મિચ્છા - મિથ્યાત્વદ્ધિકમાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy