SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઓં હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ મેં નમઃ અલ્પ વક્તવ્ય તાવ આવ્યો. ડૉક્ટરે બ્લડટેસ્ટ, યુરીન ટેસ્ટ, જાત-જાતના ટેસ્ટ કરાવ્યા. લોહી વગેરેમાં રહેલા તત્ત્વોનું પૃથ્થકરણ કરાવ્યું. રોગના કારણો મળ્યા. એ મુજબ દવા થઇ, રોગ ગયો, તંદુરસ્તી પ્રાપ્ત થઇ. જીવને મોહનો તાવ છે, કર્મનો રોગ છે, એનું પૃથક્કણ થવું જોઈએ. રોગ પકડાશે, ઉચિત ઔષધ સેવન થશે. મોહમુક્તિ-કર્મમુક્તિ મળશે... જીવ મોક્ષરૂપે સ્વાસ્થ્યતંદુરસ્તી પ્રાપ્ત કરશે. બાહ્ય કક્ષાનો જીવ પ્રસંગ મુજબ સારી-નરસી અસર લેશે. આંતરકક્ષાને પામેલો જીવ પ્રસંગના કારણોનું પૃથક્કરણ કરશે અને લીન-દીન બનવાને બદલે જિન બનશે ! પ્રભુએ દરેક તત્ત્વનો તલસ્પર્શી નિષ્કર્ષ પ્રાપ્ત થાય, અંતિમ તથ્ય પ્રાપ્ત થાય, તે માટે તો નય-નિક્ષેપા-અનુયોગદ્વારો-માર્ગણાધારો ને ગુણસ્થાનકો વગેરે બતાવ્યા છે. જૈનશાસનનું જીવવિજ્ઞાન મૈત્રીભાવનો પાયો છે, નવિજ્ઞાન સમાધાનનો પાયો છે, તો કર્મવિજ્ઞાન સમતાનો પાયો છે. એમાં પણ જૈનશાસનના આગમ-પરંપરા-ગુરુગમ અને અનુપ્રેક્ષાના માધ્યમે પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ રચેલા પાંચ કર્મગ્રંથો તો કર્મથિયરીના હૃદય સુધી પહોંચાડે છે, અધુનાતન અલ્પજ્ઞાની જીવો પણ આના અભ્યાસથી સર્વજ્ઞતાની અલ્પાંશે પણ ઝાંખી અનુભવી શકે. આમાં ચોથો કર્મગ્રંથ એટલે પૃથક્કરણ....ગુણસ્થાનોમાં માર્ગણાસ્થાનો, માર્ગણાસ્થાનોમાં ગુણસ્થાનો અને એ બંનેમાં કર્મના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની વિચારણા. વિશિષ્ટ જ્ઞાનીઓ જ જે તત્ત્વોની અનુપ્રેક્ષા કરી શકે, તેના ગહન વિષયોની અનુપ્રેક્ષાના દ્વાર આપણા માટે પણ ખોલી આપ્યા. કર્મવિજ્ઞાનના આ પૃથક્કરણથી પ્રથમ લાભ તો એ થાય કે બહાર સારા-નરસા પ્રસંગથી અસ્વસ્થ-સંકિલષ્ટ થયેલું ચિત્ત સ્વસ્થ બને. સંક્લેશ, દુષ્ટલેશ્યાઓ અને દુર્ધ્યાનથી મુક્ત બને, વળી આ તત્ત્વના અભ્યાસથી-ચિંતનથી રચિયતા ગુરુ ભગવંત ૫ર અહોભાવ જાગે, તો એ તત્ત્વના નિરૂપક તીર્થંકરોની સર્વજ્ઞતા પર બહુમાનભાવ જાગે. શ્રદ્ધા સોલિડ બનતી જાય. જેમ-જેમ તત્ત્વાભ્યાસ-ચિંતન-ભાવન વધતું જાય, તેમ-તેમ નવા-નવા સંવેદનો-અનુભૂતિઓ થાય, પ્રજ્ઞાના ઉન્મેષો થવાથી ચિંતનસાગરમાંથી મળેલા નવા-નવા મોતીઓથી સંવેગભાવ ઉછળવા માંડે...‘જિને કહેલું તત્ત્વ જ સાચું છે' એવું ભાવનાજ્ઞાન દૃઢ બને. ભાવસમ્યક્ત્વની નવી નવી ઉંચાઇઓ પ્રાપ્ત થાય. લોકસ્વભાવ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy