________________
૦૮
તૃતીય કર્મગ્રંથ બીજી સ્થિતિમાં નાખીને, પહેલી સ્થિતિને વેદીને સમાપ્ત કરેલી હોવાથી અને બીજી સ્થિતિ ઉપશાન્ત હોવાથી (ઉદીરણા આદિ દ્વારા પણ ઉદયમાં લાવવાની અયોગ્યતા કરેલી હોવાથી) રસથી કે પ્રદેશથી એમ એક પણ પ્રકારનું વેદન નથી. એટલી વિશેષતા છે. ર૧
હવે લેસ્થા દ્વાર ઉપર બંધસ્વામિત્વ જણાવે છેओहे अठ्ठारसयं, आहारदुगूण आइलेसतिगे । तं तित्थोणं मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥ २२ ॥
(ओघेऽष्टादशशतमाहारकद्विकोनमादि लेश्यात्रिके । तत्तीर्थोनं मिथ्यात्वे, सासादनादिषु सर्वत्रौघः)
શબ્દાર્થ= ગોહે= ઓથે, અઠ્ઠીરચં= એકસો અઢાર પ્રકૃતિ બાંધે છે. માદાર, પૂ= આહારકદ્ધિક વિના, કોફત્તેતિને= પ્રથમની ત્રણ લેગ્યામાં, તંત્ર તે જ બંધમાંથી, તિસ્થi= તીર્થકર નામકર્મ ઓછું કરવાથી, મિચ્છ= મિથ્યાત્વે, સા||સુત્ર સાસ્વાદનાદિ ગુણઠાણાઓમાં, સવ્વહિં= સર્વ ઠેકાણે, મોરોક ઓઘ બંધ જાણવો.
ગાથાર્થ- પ્રથમ ત્રણ લેયામાં આહારકતિક વિના ઓઘે ૧૧ કર્મપ્રકૃતિઓ બંધાય છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય છે. અને સાસ્વાદનાદિ સર્વ ગુણઠાણાઓમાં (આ ત્રણ લેગ્યામાં) ઓઘબંધ જાણવો. | ૨૨ //
વિવેચન- આ ગાથામાં કૃષ્ણ-નીલ અને કાપત એમ પ્રથમની ત્રણ વેશ્યાનું બંધસ્વામિત્વ જણાવ્યું છે. આ ત્રણ લેશ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનકો હોય છે એમ આ જ કર્મગ્રંથની છેલ્લી ૨૫ મી ગાથામાં કહેવામાં આવશે. તથા ૧ થી ૬ ગુણસ્થાનકો પણ હોય છે એમ ચોથા કર્મગ્રંથની ૨૩ મી ગાથામાં આ જ ગ્રંથકર્તા કહેશે. એટલે ચાર અથવા છ ગુણસ્થાનકો જુદી જુદી અપેક્ષાએ કહેવાયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org