SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તૃતીય કર્મગ્રંથ परमुवसमि वटुंता, आउ न बंधति तेण अजयगुणे, देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥ २१॥ (परमुपशमे वर्तमाना, आयुर्न बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीनो, देशादिषु पुनः सुरायुर्विना ) શબ્દાર્થ= પરમુવમ= પરંતુ ઉપશમસમ્યકત્વમાં, વઢંતા= વર્તતા, ૩= આયુષ્યનો, ને વંયંતિ= બંધ કરતા નથી, તે તે કારણથી, માયાળ= અવિરતિગુણઠાણે, તેવમgબાદળો દેવ અને મનુષ્યના આયુષ્યવિના, તે સાસુ દેશવિરતિ આદિ ગુણઠાણામાં, પુત્ર વળી, સુરા!= દેવાયુષ્ય, વિUT= વિના બંધ થાય છે. ગાથાર્થ પરંતુ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવો પરભવનું આયુષ્ય બાંધતા નથી. તેથી અવિરતિ ગુણઠાણે દેવ અને મનુષ્યના આયુષ્યબંધ વિના બંધ જાણવો, અને વળી દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં દેવાયુષ્યના બંધ વિના બંધ જાણવો. ર૧ - વિવેચન- આ ગાથાનો ભાવાર્થ લગભગ ૨૦મી ગાથાના પ્રારંભમાં સમજાવાઇ ગયો છે. ૨૦મી ગાથામાં ઉપશમ સમ્યત્વમાં ૪થી૧૧ એમ ૮, ક્ષાયોપથમિક સભ્યત્વમાં ૪થી એમ ૪, અને ક્ષાયિકસમ્યકત્વમાં ૪થી૧૪ એમ ૧૧ ગુણસ્થાનકો કહીને અંતે નિનિયાળોરો' કહીને પોત-પોતાનાં ગુણઠાણાં પ્રમાણે ઘબંધ જણાવ્યો છે. તેમાંથી ઉપશમસમ્યકત્વમાં પરભવનું આયુષ્ય બંધાતું નથીએવો અપવાદ ઉપશમ સમ્યત્વ પુરતો આ ગાથામાં જણાવેલ છે. ઉપશમસમ્યકત્વવાળા જો તિર્યંચ-મનુષ્યો હોય તો દેવાયુષ્યના બંધનો, અને જો દેવ-નારકી હોય તો મનુષ્યાયુષ્યના બંધનો એમ બે આયુષ્યના બંધનો સંભવ ઓવબંધ કહેલ હોવાથી અવિરતિગુણઠાણે છે. (શેષ નરક-તિર્યંચાયુષ્ય તો બંધમાં પહેલે-બીજે ગુણઠાણે જ નીકળી ગયાં છે). તથા પાંચમું ગુણઠાણું માત્ર તિર્યચ-મનુષ્યોને જ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy