________________
બન્ધસ્વામિત્વ
૭પ મોક્ષમાર્ગ બંધ હોય તો તેને દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકારી પાંચ-છ ગુણઠાણે આરોહિત થઇ દેવાયુષ્ય બાંધીને નિયમા દેવમાં જ જવું પડે એટલે (૪) દેવનો ભવ, અને (૫) દેવમાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. આ પાંચમા આરાના છેડે થનારા દુષ્ણસહસૂરિજી આવા પાંચ ભવવાળા ક્ષાયિકસમ્યકત્વી છે. તેઓનો અહીંનો ત્રીજો ભવ છે. અહીં આચાર્ય થઇ દેવાયુષ્ય બાંધી દેવ થઈ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઇ મોક્ષે જશે. એ જ પ્રમાણે કૃષ્ણ મહારાજાના પણ પાંચ ભવ થવાના છે એમ સંભળાય છે.
આવા પ્રકારના પાંચ ભવ કરનારા ક્ષાયિકસમ્યકત્વી જીવોને ત્રીજા ભવમાં પાંચ-છ ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવી શકે છે. અન્યથા ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પછી પાંચમે-છ ગુણઠાણે દેવાયુષ્યનો બંધ સંભવતો નથી.
મિથ્યાત્વ, સાસ્વાદન, અને મિશ્ર આ ત્રણને મિથ્યાત્વત્રિક કહેવાય છે. સમ્યકત્વમાર્ગણાના છે ભેદોમાંના આ ત્રણભેદોમાં તથા દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર માર્ગણામાં પોતપોતાનું એક જ ગુણસ્થાનક અને તેના જ પ્રમાણે બંધ થાય છે એમ જાણવું. મિથ્યાત્વમાર્ગણામાં પહેલું ગુણઠાણું અને ૧૧૭ નો બંધ, સાસ્વાદન માર્ગણામાં બીજ ગુણઠાણું અને ૧૦૧નો બંધ. મિશ્રમાર્ગણામાં ત્રીજું ગુણઠાણું અને ૭૪ નો બંધ, દેશવિરતિ ચારિત્રમાં પાંચમું ગુણઠાણું અને ૬૭નો બંધુ. સૂક્ષ્મસંપરા ચારિત્રમાં દસમું ગુણઠાણું અને ૧૭નો બંધ થાય છે.
આહારીમાર્ગણામાં ૧થી૧૩ ગુણઠાણાં છે, કારણકે ચૌદમે ગુણઠાણે ભૂગવાનું અણાહારી હોય છે. બીજા કર્મગ્રંથની જેમ આહારી માર્ગણામાં બંધ જાણવો. ઓધે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭ વગેરે.
આ પ્રમાણે વેદત્રિકથી આ આહારી માર્ગણા સુધીમાં જ્યાં જેટલાં ગુણઠાણાં મૂલગાથામાં કહ્યાં છે ત્યાં ત્યાં તે તે ગુણઠાણા પ્રમાણે બંધ સમજી લેવો. || ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org