SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કર્મગ્રંથ વિવેચન- વૈક્રિય કાયયોગમાં દેવગતિની જેમ બંધ સમજવો. દેવ અને નરકના જીવોને જન્મથી જ આરંભીને મૃત્યુ પર્યન્ત આ યોગ હોય છે. તેથી દેવની સમાન બંધ કહેલ છે. નારકીના જીવો જે પ્રકૃતિઓ બાંધે છે તેના કરતાં દેવો એકેન્દ્રિય-સ્થાવર-આતપ એમ ૩ પ્રકૃતિ વધારે બાંધે છે અને આ ૩ પ્રકૃતિઓ દેવો બાંધતા હોવાથી વૈક્રિય કાયયોગમાં પણ બંધાય છે. તેથી “નરકની જેમ” બંધ ન કહેતાં “દેવની જેમ બંધ કહેલ છે. દેવોમાં પણ સૌથી વધુ પ્રકૃતિબંધ સૌધર્મ-ઇશાનમાં જ સંભવે છે. માટે તેની જેમ જ બંધ સમજવો. ઓધે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦, અને અવિરતે ૭૨નો બંધ જાણવો. વૈક્રિયમિશ્ર કાયયોગમાં પણ બંધ દેવગતિની જેમ જ કહેવો, પરંતુ તેમાં બે વિશેષતા છે (૧) તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્યનો બંધ ન કહેવો, તથા (૨) ત્રીજું મિશ્રગુણસ્થાનક ન હોય. દેવો અને નારકીને વૈક્રિયમિશ્રયોગ ઉત્પત્તિના બીજા સમયથી છ પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્મણની સાથે મિશ્રયોગ હોય છે અને પરભવના આયુષ્યનો બંધ પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારે જ થાય છે. તેથી વૈક્રિયમિશ્રયોગના કાળે આયુષ્યના બંધનો સંભવ નથી. અપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર ગુણઠાણાનો સંભવ નથી. અને પર્યાપ્તાવસ્થામાં દેવ-નારકીને મિથ્યાત્વથી સમ્યકત્વે જતાં-આવતાં મિશ્રગુણઠાણું સંભવી શકે છે પરંતુ તે વખતે વૈક્રિય કાયયોગ હોય છે વૈક્રિયમિશ્રકાયયોગ સંભવતો નથી. તેથી વૈક્રિયમિશ્ર કાયયોગમાં ઓધે ૧૦૨, પહેલે ૧૦૧, સાસ્વાદને ૯૪, અને અવિરતે ૭૧નો બંધ સમજવો. અહીં પાંચમા ગુણઠાણે વર્તતા અંબડશ્રાવક આદિને અને છ ગુણઠાણે વર્તતા વિષ્ણુકુમારાદિ મુનિઓને વૈક્રિયશરીરની વિદુર્વણા કરતાં દારિકની સાથે કર્મગ્રંથકારના મતે વૈક્રિય મિશ્રકાયયોગ હોય છે. તેથી પાંચમું અને છઠ્ઠ ગુણઠાણું પણ હોઈ શકે છે અને બીજા કર્મગ્રંથની જેમ ૬૭ અને ૬૩નો બંધ પણ ઘટી શકે છે પરંતુ કર્મગ્રંથકારે ભવપ્રત્યયિક જે દેવ-નારકીનું સ્વાભાવિક વૈક્રિય શરીર છે તેની જે માત્ર વિવક્ષા કરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy