SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યસ્વામિત્વ ૪૯ દારિકમિશ્ર કાયયોગ સર્વપર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે તે મત ગ્રંથકારશ્રીને માન્ય છે તેને આશ્રયીને ૪ આ ૧૧૪ નો બંધ તથા આગળ પહેલા ગુણઠાણે ૧૦૯ ને બંધ કહ્યો છે. કારણકે ૧૧૪ અને ૧૦૯ ના બંધમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ રાખેલ છે, ધૂન કરેલ નથી. હવે જો આ કાયયોગ શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી જ હોય તો આ બે આયુષ્યનો બંધ પણ ન્યૂન જ કરવો પડે. કારણકે આયુષ્ય ત્રણ (આહાર-શરીર-અને ઇન્દ્રિય) પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં આયુષ્યનો બંધ થતો જ નથી માટે સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આ મિશ્રયોગ હોય છે એમ ગ્રંથકારશ્રીને ઇષ્ટ છે. તથા ગ્રંથકારશ્રી પોતે જ આગળ ચોથા કર્મગ્રંથની ચોથી ગાથામાં “તપ૩રત્નમને'' આ પદમાં અન્ય આચાર્યોનું નામ આપીને કહે છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારબાદ ઔદારિક કાયયોગ હોય છે (પરંતુ ઔદારિક મિશ્ર કાયયોગ હોતો નથી) એમ અન્ય આચાર્યો માને છે એટલે આ મત પોતાને ઈષ્ટ નથી એમ ફલિત થાય છે. તેથી જ ૧૧૪ અને ૧૦૯ નો બંધ ઘટી શકે છે. જીવવિજયજી મહારાજશ્રી કૃત ટબામાં આવો સંદેહ કરવામાં આવ્યો છે કે ઔદારિક મિશ્ર કાયયોગ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ હોય તો ત્યાં આ બે આયુષ્યનો બંધ કેમ ઘટે ? પરંતુ જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર માનવામાં આવે તો આ સંદેહ રહેતો નથી. તથા દિગંબર સંપ્રદાયને માન્ય “ગોમટસારમાં” પણ ૧૧૪ અને ૧૦૯ નો જ બંધ જણાવેલ છે. તે પાઠ પણ આ પ્રમાણે "ओराले वा मिस्से, न सुरनिस्याउहारनिरयदुगं । fમgો કેવો, તિત્ય હિ વિકે ત્યિ ” (ગમ્મસાર-કર્મકાંડ ગાથા-૧૧ ૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy