SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તૃતીય કર્મગ્રંથ કંઈક કંઈક અપવાદ છે. જ્યાં જેટલો અપવાદ બતાવવામાં આવે ત્યાં તેટલા અપવાદને છોડીને ઉદય અને ઉદીરણા સમાન સમજી લેવી. (૧) પાંચ જ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મો એમ કુલ ૧૪ પ્રકૃતિનો બારમા ગુણઠાણાની છેલ્લી આવલિકામાં માત્ર ઉદય જ હોય છે. પરંતુ વધારે સ્થિતિ ન હોવાથી ત્યાં ઉદીરણા હોતી નથી. (૨) સાતા-અસતાવેદનીય અને મનુષ્યાયુષ્ય આ ત્રણ કર્મનો ઉદય ચૌદમા ગુણઠાણાના ચરમ સમય સુધી હોય છે, પરંતુ ઉદીરણા માત્ર છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોય છે. સાતમા ગુણઠાણાથી તેની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોના અભાવે ઉદીરણા હોતી નથી. (૩) નરક-તિર્યંચ-અને દેવાયુષ્ય (તથા મનુષ્યાયુષ્ય પણ) દરેક જીવોને પોત- પોતાના ભવમાં ભોગવતાં ભોગવતાં જ્યારે મૃત્યુ સમય નજીક આવે અને માત્ર એક આવલિકા બાકી રહે ત્યારે તે તે આયુનો ઉદય જ હોય છે. આવલિકા બહાર તે આયુષ્યની સ્થિતિ ન હોવાથી ત્યાં ઉદીરણા હોતી નથી. મનુષ્પાયુષ્યમાં ઉપર પણ અપવાદ સમજાવ્યો અને આ અપવાદ પણ છે એટલે સંખ્યા ગણવી મુશ્કેલ ન થાય તેટલા માટે અહીં કૌંસમાં આપેલ છે. (૪) ચૌદમે ગુણઠાણે જે ૧૨ પ્રકૃતિઓનો ઉદય છે તે બારે પ્રકૃતિઓની ઉદીરણા યોગના અભાવે ત્યાં હોતી નથી. તેમાં મનુષ્યાયુષ્ય અને વેદનીય પૂર્વે સમજાવાઈ ગયેલ હોવાથી ૪૧ની સંખ્યા ગણવા ૧૦ માટે આ નિયમ જાણવો. (૫) મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ સમ્યકત્વ પામતી વખતે, સમ્યકત્વ મોહનીયનો ક્ષાયિક સમ્યકત્વ પામતી વખતે, અને સંજવલન લોભનો સૂક્ષ્મસંપરાય ગુણઠાણે, એમ ત્રણેની છેલ્લી આવલિકામાં ઉદય માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy