SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાસ્વામિત્વ ૧૦૭ મિથે ૯૮, અવિરતે ૧૦૧, દેશવિરતે ૮૭, પ્રમત્તે ૮૧ અને અપ્રમત્તે ૭૬ નો ઉદય હોય છે. (૫૦) શુકુલલેશ્યા- આ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણાં છે. ઉદયસ્વામિત્વ પધલેશ્યાની જેમ જ જાણવું. પરંતુ ૧૩ મું ગુણઠાણું હોવાથી જિનનામનો ઉદય ઓઘમાં વધારે લેવો. એટલે ઓથે ૧૧૦, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૪, મિશ્ર ૯૮, અવિરતે ૧૦૧, દેશવિરતે ૮૭. વગેરે તેરમા ગુણઠાણા સુધી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય સમજવો. (૫૧) ભવ્ય માણા- એકથી ચૌદ ગુણસ્થાનક છે. બીજા કર્મગ્રંથની જેમ જ સંપૂર્ણ ઉદયસ્વામિત્વ સમજવું. (૫૨) અભવ્યમાર્ગણા- માત્ર પહેલું એક જ ગુણસ્થાનક છે. તેથી આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય એમ કુલ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ નું ઉદય સ્વામિત્વ જાણવું. (૫૩) ઉપશમસમ્યકત્વ માર્ગણા- ગુણસ્થાનક ૪ થી ૧૧ સુધી કુલ ૮ હોય છે. તેમાં ચોથે અવિરતિ ગુણઠાણે બીજા કર્મગ્રંથમાં જે ૧૦૪ નો ઉદય કહ્યો છે તેમાંથી ૪ આનુપૂર્વી અને ૧ સમ્યકત્વમોહનીય એમ પાંચ વિના ઓથે અને અવિરતે ૯૯ નો ઉદય હોય છે. કારણ કે ઉપશમસમ્યકત્વી જીવ મૃત્યુ પામતો નથી, અને મૃત્યુ વિના આનુપૂર્વી સંભવતી નથી, દર્શનસપ્તક ઉપશમાવેલ હોવાથી જે સમ્યકત્વમોહનીયના ઉદયનો સંભવ હતો તે પણ નથી. અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ સમ્યકત્વી મૃત્યુ પામે છે. પરંતુ કેટલાક આચાર્યો મૃત્યુ પછી બીજા જ સમયે વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યકત્વ માને છે. વળી કેટલાક આચાર્યો ઉપશમશ્રેણીમાં જે ઉપશમસમ્યકત્વી હોય છે તે મૃત્યુ પામતા નથી, કાલક્ષયે જ ઉતરે છે અને જે મૃત્યુ પામે છે તે નિયમ ક્ષાયિક સમ્યકત્વી હોય છે એમ માને છે તેમના મતે વિગ્રહગતિમાં ઉપશમ ન હોવાથી આનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. પરંતુ જે આચાર્યો અગિયારમે ગુણઠાણે ઉપશમ સમ્યકત્વી-મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy