SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક આ પ્રમાણે સ્થાવરદશક કહ્યું. આ પ્રમાણે નામકર્મના ૪૨-૯૩૧૦૩-૬૭ ભેદો વિસ્તારથી સમજાવ્યા. ૫૧, હવે ગોત્રકર્મ તથા અંતરાયકર્મના ભેદો જણાવે છે गोअं दुहुच्च-नीअं, कुलाल इव सुघड-भुंभला इअं । विग्धं दाणे लाभे, भोगुवभोगेसु विरिए अ ॥५२॥ ( ગોત્રં દિયોત્ત્વનીરં, લાલ ફવ સુષટ-મુંમલાવિમ્ । विघ्नं दाने लाभे भोगोपभोगेषु वीर्ये च ) = સારા શબ્દાર્થ :- ગોત્રં - ગોત્ર કર્મ, વુદ્ઘ = બે પ્રકારે છે. સત્ત્વનીગં ઉચ્ચગોત્ર અને નીચગોત્ર, લાલ કુંભાર, વ = જેમ, સુષડ ઘડા, અને મુંમતાÄ = મદિરાના અશુભ ઘડા વિગેરે, વિષં = અંતરાય કર્મ, વાળે - દાનને વિષે, તમે = લાભને વિષે, ભોળુવભોળેલુ = ભોગ અને ઉપભોગને વિષે, વિણિ ય અને વીર્યને વિષે. = = = ૧૭૭ Jain Education International = ગાથાર્થ :- જેમ કુંભાર સારા ઘડા અને ભુંભલાદિ બનાવે છે તેવી રીતે ગોત્ર કર્મ ઉચ્ચ-નીચ એમ બે ભેદે છે. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યને વિષે વિઘ્ન કરનાર અંતરાય કર્મ પાંચ પ્રકારે છે. પર. For Private & Personal Use Only = વિવેચન :- ગોત્ર કર્મના ઉચ્ચ અને નીચ એમ બે ભેદ છે. આ કર્મ કુંભાર સરખું છે. જેમ કુંભાર એક જ માટીમાંથી પૂર્ણકલશ આદિ એવા ઘટ બનાવે છે કે જે કુંભસ્થાપના-લગ્નની ચૉરી આદિમાં વપરાય, પુષ્પ-ચંદન-કંકુ-માલા-અને અક્ષતાદિ વડે પૂજાને પામે, અને તે જ માટીમાંથી એવા પણ ઘટ બનાવે છે કે જે મદિરા-વિષ્ટા-માંસાદિનું ભાજન બન્યા છતા નિન્દાને પામે, તિરસ્કારને પામે, તેમ ઉચ્ચગોત્રના ઉદયથી જીવ એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિરહિત, ધનરહિત, અને રૂપરહિત હોય તો પણ લોકમાં પ્રશંસા પામે છે. અને નીચ ગોત્રના ઉદયથી એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિમાન્, ધનવાન્, અને રૂપવાન્ હોવા છતાં પણ નિંદા અને તિરસ્કારને પામે છે. ૧૨ www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy