SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ ક (૧૮) ખડ * ગુણાનુરાગ કેળવી ગુણ અને ગુણેની પ્રશંસા કરવી આજ પ્રદ ભાવના છે. ૩ ત્રીજી કરૂણું ભાવના : જે દીન-દુઃખી છે, ભયવાળા છે, જે જીવનની અપેક્ષા રાખે છે તેમના પર પ્રીતિ કરવાની બુદ્ધિ એ કરૂણા ભાવના છે. * જે માનવી ધમને માનતા નથી, ગુરૂ, વડીલ વગેરેના ઉપદેશ, શિખામણ સાંભળતા નથી; “ધર્મ” શબ્દ સાંભળીને ભડકે છે, તેના માટેના દુઃખના નિવારણ અંગેનો ઉપાય ચિંતવે–આદરે છે તે કરૂણું ભાવના કલ્યાણ કરી શકે. કરૂણ ભાવના બે પ્રકારની છે: દ્રવ્ય કરૂણા અને ભાવ કરૂણા. દ્રવ્ય કરૂણ : દીન-દુઃખીની દ્રવ્ય કરૂણા કરવાની છે. કેઈ પણ જીવાત્મા રોગ, શોક, દીનતા કે ત્રાસથી દુઃખી ન હોય, વધ બંધનમાં સપડાયે હય, જીવ બચાવવા-જીવવા માટે લાચાર બન્યું હોય, ભૂખ, તરસ, થાકથી દુઃખી થયે હેય, તાપ, ઠંડીથી હેરાન થતું હોય, આજીવિકાથી પીડાતો હોય, નિર્દોષ રીતે હેરાન થતું હોય, મરણાંત કષ્ટમાં સપડાયેલો હોય, તેને દુઃખમાંથી મુક્ત કરવાની ઇચ્છાપૂર્વકની જે ઉપકાર બુદ્ધિ છે તે દ્રવ્ય કરૂણા છે. ભાવ કરૂણું : ધર્મવિહીનાની ભાવ કરૂણું કરવાની છે. * નીતિથી દુર રહેનાર, ધર્મના વિચારથી વંચિત રહેનારા, ભૌતિક સુખ પાછળ દોડાદેડી કરનારની ભાવકરૂણું ચિંતવવાની છે, તેનું શું થશે? માનવ ભવ હારી જશે?” * પીસે, સ્ત્રી, જમીન ઈત્યાદિ અદાલતમાં ખુવાર થઈ જાય, જીદગી હારી જાય તેનું શું થશે? ઈર્ષા, અદેખાઈ, સ્પર્ધા, ક્રોધ, લેભ, અહંકાર અને સાત વ્યસનમાં રત જોઈને, હૃદયમાં અરેરાટી થાય. માનવ થઈ જીવન હારી જાય. * સાચા, બેટા દસ્તાવેજો કરે, અભક્ષ્ય ખાય, કામ ભેગમાં ચકચૂર બને, અંકુશ વિનાનું જીવન જોઈ, ભાવ કરૂણ ચિંતવે, કે માનવ ભવ હારી જાય તેનું નામ ભાવ કરૂણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy