SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૩૯ દિવાન દયાળશાહે મહારાણા રાજસિંહના રાજ્યમાં વિ. સં. ૧૭૩૨ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારના રોજ વિજયગચ્છના ભ૦ વિનયસાગરસૂરિના હાથે આ જિનપ્રાસાદની તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયકની પ્રતિમાની ગાદી ઉપર ઉપરના આશયને પ્રતિમા લેખ છે." પરિણામે ભવ્ય કારીગરીવાળ ચૌમુખ જિનપ્રાસાદ તૈયાર થયે. અને કિલ્લાની નીચે તળેટીમાં મોટી ધર્મશાળા બની. આ સ્થાન જૈનયાત્રાસ્થળ જેવું ગણાય છે. સૌ જૈન યાત્રિક મેવાડની યાત્રા કરે ત્યારે દયાળશાહના કિલ્લાની પણ યાત્રા કરે છે. (જૈન સત્ય પ્રકાશ, . ૧૦, પૃ. ૩૧૮–૩૧૯) (ઉદેપુરનાં જૈનમંદિર) ૧. વડેદરા પાસેના છાણી ગામના જૈન મંદિરમાં “ભવ આદીશ્વરની મોટી જિનપ્રતિમા” છે, તેની સં. ૧૭૩૨ ના વૈશાખ સુદિ ૭ ને ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્રમાં અમૃતસિદ્ધિ યુગમાં રાજસાગરના કાંઠે અંજનશલાકા થઈ હતી. (–શ્રી. જિનવિજયજીને, પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેખાંક: ૫૪૦). દયાળશાહે આ પ્રતિષ્ઠા કરાવી ત્યારે ત્યાં સાંડેક ગ૭ના ભ૦ દેવસુંદરસૂરિ પણ હાજર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy