SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૬ જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૩ [ પ્રકરણ (૩) મણિભદ્રવીરની માટી સાધના દીવાળી ને રોજ કે ગ્રહણ અવસરે કરાય છે. (૪) ધ્યાન રાખવું કે-મણિભદ્રવીર શુદ્ધ સમકાતિ, શાન્ત, વિવેકી, સદાચારી, અને ધર્મપ્રેમીને જ મદદ કરે છે, તથા પ્રત્યક્ષ થઈ દર્શન આપે છે. (૫) જે સમકિત વગરને હોય સ્વછંદી હોય, તથા બીજા જે તે દેવેને માનતે હોય તેને મણિભદ્રવીર પ્રસન્ન થતા નથી. દઢશીલે કરી થાપે મન, નિશિએ વિધિજપે પ્રસન્ન, પછે જે ચિતે તે પાવે, ઘર બેઠા સુખસંપત આવે-૧૫ (સં૧૭૦૮ પં. ઉદયવિજયગણિ કૃત છંદ) (૬) એક ોંધપાત્ર સુમેળ મળે છે કે-આઠ આણંદવિમલસૂરિ વિજય શાખાના આદ્ય આચાર્ય વિજયદાનસૂરિ અને આ૦ વિજયદેવસૂરિ વગેરે તથા તપગચ્છ સાગરશાખાના મહે. ધર્મસાગરગણિવર તેમજ તપગચ્છ વિજયદેવસૂરિ સંઘ સાગર શાખાના ભટ્ટારક રાજસાગરસૂરિ અને શેઠ શાન્તિદાસ ઝવેરી વગેરે મૂળ ઓસવાલ જ્ઞાતિના હતા, વિજયદેવસૂરિ ગચ્છનું બીજું નામ એસવાલ ગચ્છ પણ મળે છે. મણિભદ્ર મહાવીર પહેલા ઓસવાલ ન હતું. અને અત્યારે સમકાતિ જેન દેવ છે. આ સુમેળમાંથી સહેજે તારવી શકાય છે કે–તે સૌના વંશ વારસદારોને રક્ષકદેવ-ઈષ્ટદેવ મણિભદ્ર મહાવીર જ હોય. એ સ્વાભાવિક વસ્તુ છે છેદ-સ્તોત્રો- મણિભદ્રવીરના વર્ણન માટે ગુજરાતી, હિંદી અને સંસ્કૃત ભાષામાં વિવિધ છંદ–સ્ત મળે છે. (૧)તપગચ્છની સમશાખાના ૬૨મા ભ૦ શાંતિસેમસૂરિએ સં. ૧૭૩૩માં આગલેડમાં “મણિભદ્રસ્તાત્ર ક્ષે ૪૧બનાવ્યા. (-પ્રક. ૫૫ પૃ. ૬૯૦ સેમશાખા પટ્ટાવલી) (૨) ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય ૫૦ હર્ષ કુલગણિની પરંપરાના ૫૮મા પં. ઉદયકુશલગણિવરે “મણિભદ્ર છંદ કડી ૨૧” બનાવ્યું. (જૂઓ પ્રક. ૧૫ કુશલશાખા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy