SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભીમ મેઘરાજે વિમલનાથ જિનાલયમાં રંગમંડપ બનાવ્યું. (પ્રક. ૫૫, પૃ. ૮૨૨ શીલચારિત્ર શાખાની ૧લી પટ્ટાવલી.) (શ્રીજિન વિપ્રલે. સં. ભા૨ લેટ નં. ૪૧૮ ક૨૧) તેમજ સંઘે સં. ૧૬૭૭ બી. અ૦ સુત્ર ૬ દિને શુક્રવારે ઉત્તરા ફાલ્ગણું નક્ષત્રમાં રાઉલ વિજયસિંહના રાજ્યમાં ભવ્ય વિજયસેનસૂરિ, આ. વિજયદેવસૂરિના ઉપદેશથી આ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. આ જિનાલયમાં સં. ૧૮૬પ ને પણ શિલાલેખ છે. (૩) ભ૦ શાન્તિનાથનું જિનાલય-આ મંદિર ત્રણે મંદિરમાં સૌથી ઉંચું છે. વધુ પહેલું છે. નાકોડા પાર્શ્વનાથના જિનાલયની જમણી બાજુમાં ઉંચી જમીનમાં આવેલું છે. જેને શેઠ માલાશાહે બંધાવ્યું હતું. તેને ચકેશ્વરી દેવીએ પ્રસન્ન થઈ ધન આપ્યું હતું. તેણે મંદિરના ખાસ ખાસ દે ટાળી, આ મંદિર બનાવ્યું. હતું. મૂળનાયક ભ૦ શાન્તિનાથની પ્રતિમા ખંડિત થવાથી સં. ૧૯૧૦ મહા સુદ ૫ ગુરુવારે તેમાં ભ૦ શાન્તિનાથની બીજી નવી પ્રતિમા બેસાડવામાં આવી હતી. જે પ્રતિમા આજે વિદ્યમાન છે. આ મંદિરમાં ૨૭ જિન પ્રતિમાઓ અને ચરણ પાદુકાઓ છે. આ મંદિરમાં સં. ૧૬૧૪ માગસર વ૦ ૨ ને ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિના સમયને સંસ્કૃત શિલાલેખ છે. સં. ૧૫૧૮ જે. સુ. ૪ની ભ૦ જિનચંદસૂરિ પ્રતિષ્ઠિત ભ૦ જિનપ્રભસૂરિની પ્રતિમા છે. આ નગર વિક્રમની સત્તરમી શતાબ્દી સુધી સમૃદ્ધ હતું. આજે અહીં મેવાનગર (પિ૦ બાલત્તરા) નાનું ગામ વસેલું છે. અહીં ઉપર મુજબ ઉંચા શિખરવાળા સુંદર કારીગરીવાળા ભવ્ય મેટા જિન પ્રાસાદે છે. (અમારે જેન તીર્થોને ઈતિહાસ પૃ૦ ૩૪૭ થી ૩૫૧ નાકોડા) (૩) મણિભદ્ર મહાવીર યક્ષનું મગરવાડાતીર્થ સ્તુતિ भूतः प्रेतो डाकिनी शाकिनी वा दुष्टा देवा राक्षसा व्यन्तराश्च । नाम्ना यस्याऽऽयाति शान्ति नितान्तं तं देवेशं माणिभद्रं नमामि ॥६॥ ___ श्रद्धास्रोतः श्राविणौ यस्य नित्यं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy