SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૪૭ પં. સાભાગ્યગણિ આ બોલ વાંચી મૌન બની બેસી રહ્યા. સર્વ સભ્ય અને સૌ પ્રેક્ષકોએ જાહેર કર્યું કે, પં. સત્ય સૌભાગ્યગણિ હારી ગયા. ઉપાટ કુશલસાગરગણિ સાચા ગણાય અને આ૦ શ્રી વિજયદેવસૂરિ જીત્યા એવી ખ્યાતિ પ્રસરી. ભ૦ રાજસાગરસૂરિ તે સમયે ત્યાં હાજર રહ્યા. (ઐતિહાસિક રાસસંગ્રહ ભાટ ૪ નિરીક્ષણ પૃ. ૩૯, ૪૦, ઈતિપ્રક. પપ, પૃ૭૬૮ સૂરતમાં શાસ્ત્રાર્થ) મહેક કુશલસાગરગણિના નં. ૬૦મા શિષ્ય પં. વિજયસાગરગણિએ પુર ગામમાં શેઠ વીર ભણશાળીને ભણવા માટે “મહાવીર જિનર્તોત્ર ૨૮ રચ્યું. (૬૦) પં૦ ઉત્તમસાગરગણિ–તેઓ સંયમમાં શિથિલ બન્યા સં. ૧૭૫૮ માં સ્વર્ગવાસી બન્યા. તે તપાગચ્છવિજયદેવસૂરિસંઘ સાગરશાખાના ભ૦ ઉદયસાગરસૂરિની આજ્ઞામાં હતા. ૬૧. પં. ન્યાયસાગરગણિ અસમાન ગુમાન કરત જગમેં, સેહી “ગુમાન” કથિર ક્યું ગાયે. ઉદેપુર લેક વિલકત કે કર્યું, બાગાર નાગર હૈ ક્યું વાર્યો. શાન્તિવિજય બુધ ન્યાય નિધિ, આગમતર્ક વિવાદ વિચાર્યો, ગામ ધુલેરમેં આદિમદેવ હજૂર, દિગમ્બર નાયક હાર્યો. ૧ ભિન્નમાલના રાવ અજિતસિંહ રાઠોડના રાજ્ય પહેલાં (સં. ૧૭૫૧ થી ૧૭૮૧) શા મેટાશાહ ઓસવાલની પત્ની રૂપાદેવીએ એક મધ્યરાતે સ્વપ્નમાં આંબે છે, અને વિ. સં. ૧૭૨૮ શ્રા. સુ. ૮ની ઘડીએ પૂરી થયા બાદ ૯મીના ભેગકાળમાં ગુરુવારે અનુરાધા નક્ષત્રમાં મધ્યરાત પછી બાહ્યગમાં પુત્ર નેમિદાસને જન્મ આપે. તેના ઘરમાં ઘર દેરાસર હતું. તે નેમિદાસને કાકાએ ૫૦ ઉત્તમસાગરગણિને તે નેમિદાસ વહોરાવ્યો. પં૦ ઉત્તમસાગરગણિએ તેને દીક્ષા આપી; અને તેનું નામ મુનિ ન્યાયસાગર રાખ્યું. શ્રી ન્યાયસાગરે વ્યાકરણ, ન્યાયગ્રંથે આ હરિભદ્રસૂરિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy