________________
- ભા. ૩ ની પ્રસ્તાવના આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મહારાજે અમારી વિનંતિ ને સ્વીકારી પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. વળી તેઓશ્રીની આ ગ્રંથલેખનમાં વારંવાર સલાહ સૂચના મળતી રહી છે. એટલે તેઓશ્રીની વિદ્વત્તાને લાભ અમને આ ગ્રંથમાં મળે છે. તે બદલ અમે તેઓશ્રીને અત્યંત ઋણી છીએ. આ આ પુસ્તકનું રૂફરીડીંગ વિગેરે કાર્યપાંડિત રસિકલાલ શાન્તિલાલે કરેલ છે. તેમજ અનેકવાર પ્રેસમાં જઈ આવી આ ગ્રંથ પ્રકાશનમાં અનુકુળતા કરી આપી છે, તે બદલ તેમના આભારી છીએ. આ પડિત અંબાલાલ પ્રેમચંદે આ ગ્રંથની પ્રેસ કોપી કરી આપી છે. તથા શ્રી જયંતિલાલ દલાલે શ્રી વસંત પ્રીન્ટીંગ પ્રેસમાં આ ગ્રંથ છાપી આપેલ છે. તેની પણ અમે અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. - આ પુસ્તક છપાવવામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા શાહ ઠાકોરભાઈ જેસિંગભાઈએ અગાઉથી ગ્રાહક થઈ અમને ઉત્સાહિત કર્યા છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
એકંદર આ ગ્રંથ પ્રકાશિત કરવામાં જેમના તરફથી અમને તનમન અને ધનથી સહાયતા મળી છે. તે બધાને અમે આભાર માની વિરમીએ છીએ.
વીર સં. ૨૪૯૦ વિ. સં૨૦૨૦ મહા સુદ ૫ -
ચારિત્ર સ્મારક ગ્રંથ માળા વતી ચંદુલાલ લખુભાઈ પરીખ માંડવીની પિળ, નાગજી ભૂધરની પાળ,
અમદાવાદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org