SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બહાદૂરશાહ અમદાવાદને બાદશાહ બને એવી ખબર મળતાં દોકર્માશાહ અમદાવાદ આવ્યું. તે બાદશાહને મળે અને શત્રુ જયને ઉદ્ધાર કરી ત્યાં પોતાના ભગવાનની પ્રતિમા બેસાડવા તેની પરવાનગી-ફરમાન મેળવ્યું. ત્યાંથી તે ખંભાત ગયે. અને મહોત્ર વિનયમંડનને ત્યાંથી પાલીતાણું જવા માટે વિનતિ કરી. પોતે પણ ચિત્તોડથી છ'રી પાળા યાત્રા સંઘ લઈ પાલીતાણુ ગયે. ત્યાં જઈ તેણે લલિતાસરેવરના કિનારે પડાવ નાખે એ સમયે પાલીતાણાને જાગીરદાર મઝદમાં હતું, “શત્રુંજયતીર્થ ફરી બને” તેમાં એની નારાજી હતી પરંતુ બાદશાહનું ફરમાન હોવાથી તે નિરુપાય હતે. તેને નરસિંહ અને રવિરાજ નામે બે મંત્રીઓ હતા. દેવ કર્માશાહે તે બંનેને ધન-મનથી સંતુષ્ટ કરી પોતાના કામમાં મદદગાર બનાવ્યા. આ ધર્મરત્નસૂરિના શિષ્ય મહેવિનયમંડનગણિ, તેમના શિષ્ય પં. સૌભાગ્યમંડને સં. ૧૯૦૧માં સાધ્વી જયશ્રીને ભણવા માટે “ચોમવંધ” લખે. ૫૯. આ૦ વિદ્યામંડનસૂરિ–તે આ ધર્મરત્નસૂરિની પાટે આચાર્ય બન્યા. તે ચિત્તોડથી ખંભાત આવ્યા અને ત્યાંથી પાલીતાણું પધાર્યા. ઉપાય વિનયમંડન તથા પં. વિવેકથીરગણિની દેખરેખ નીચે મહામાત્ય બાહડે બનાવેલા મૂળતીર્થપ્રાસાદને જીર્ણોદ્ધાર શરૂ થયે. જિનપ્રાસાદ નવા જે સંપૂર્ણ બજે. તથા મહામાત્ય વસ્તુપાલે ભંડારમાં જે માણું પાષાણ મૂકી રાખ્યો હતો તેને બહાર કઢાવી ઉ૦ વિનયમંડન અને ૫૦ વિવેકથીરગણિની દેખરેખ નીચે ભ૦ આદીશ્વરની મેટી પ્રતિમા તૈયાર કરાવી. સં. કર્માશાહે આ૦ વિદ્યામંડનસૂરિ વગેરે આચાર્યોના વરદ હસ્તે તે પ્રતિમાની અંજનશલાકા કરાવી સંઘ જમણ કર્યું. દેકર્ણાશાહે આ ઉદ્ધારમાં (૧) ભ૦ આદિનાથ અને (૨) ગણધર પુંડરિક સ્વામી એ બન્નેનાં બિંબે નવાં કરાવ્યાં હતાં. સં. કર્માશાહે સં. ૧૫૮૭, શાકે ૧૪૪૩ ના વૈશાખ વદિ ૬ ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy