SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શ્રીમાળીએ દિગમ્બરમતમાં પ્રવેશ કરી સં. ૧૬૮૦ માં આગરામાં પિતાના મિત્રોની મદદથી જેનેને પાળવાનાં ઉક્ત ૨૦ કર્તવ્યોમાંનાં ૧ ગુરુતવ પ મહાવ્રત, સત્પાત્ર દાન અને ચારિત્ર-વૈરાગ્ય એમ ૭ કર્તવ્યો સિવાય ૧૩ કર્તવ્યો તે પાંચમા આરામાં પાળવાનાં ન હાય, એમ જાહેર કરી તે ૭ કર્તવ્ય સિવાયના ૧૩ કર્તવ્યને પાલન કરવાનો ના મત ચલાવ્યું. આથી દિગમ્બર સંઘના ૧ વિશાપથી અને ૨ તેરાપથી એમ બે પંથે બન્યા. આજે પણ દિગમ્બર સંઘમાં આ બન્ને પક્ષે વિદ્યમાન છે. (જુઓ પ્રક. ૧૪ પૃ૦ ૩૨૮ ) પં. બનારસીદાસે મહમેદનની અસરથી ભ્રમ પામી જિનેન્દ્રપૂજાવિધિ પણ બદલી નાખી, જે પૂજાવિધિ સમય જતાં ફ્લેશ જન્માવનારી નીવડી છે. વિશપંથી અને તેરાપંથી દિગંબર જૈને વચ્ચે તથા વેતાંબર જૈન વચ્ચે એ નવી વિધિના કારણે જ ઝગડા ઊઠયા છે, જેને ઇતિહાસ ઉપર આવી ગયા છે. - ટૂંકમાં દિગબર તેરાપંથ નીકળ્યા પછી, જનેમાં તીર્થ વગેરેના બાનાથી નવા નવા ઝગડા વધ્યા છે. કહુઆ શાહ અને પં. બનારસી ઇતિહાસનું પરિશીલન કરવાથી સમજાય છે કે, જેનેને (૧) કડુઆત અને દિગંબર જૈનેને (૨) તેરાપંથ કઈ કઈ અંશે સમાનતા ધરાવે છે તે આ પ્રકારે છે– ૧. દેવતત્વમાં-જિનપ્રતિમાને માનવી પૂજવી. ૨. ગુસ્તત્ત્વમાં આ કાળમાં સાધુ કે સાધ્વીજી હોય જ નહીં એટલે હવે ૪ જૈન સંઘ પિકી બે સર્વવિરતિ સંઘે રહ્યા જ નથી. માત્ર શ્રાવક અને શ્રાવિકા સંઘ એ બે દેશવિરતિ સંઘો જ રહ્યા છે ૩. જૈન ધર્મના ઉપદેશક-અધિષ્ઠાતા ત્યાગી મુનિ નહીં પણ પાઘડીવાળે ગૃહસ્થ જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy