SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૫ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ સ્નાવવિધિ પટ્ટધર શાતેજપાલે સં૦ ૧૬૮૦ના ચોમાસામાં ખંભાતમાં ભ૦ શાંતિનાથની નવી “સ્નાત્રવિધિઓ બનાવી. - સં. ૧૬૮૧ના ફા. સુ. ૧૧ના રોજ ખંભાતમાં સેની સહજ પાલની પુત્રી બાઈ જીવાઈના જિનાલયની પ્રતિષ્ઠા કરી, જળયાત્રા વગેરે ઉત્સા કરાવ્યા. ત૫ ઉત્સવ - શા. તેજપાલે સં૦ ૧૬૮૨માં અમદાવાદમાં ચોમાસું કર્યું પર્યુષણ પર્વમાં ભણશાળી પંચાયણ વગેરે ૫૦૦ ભાઈ-બહેનોએ અઠ્ઠાઈતપ કર્યું, ઉત્સવ પ્રભાવના કર્યા. ગ્રંથો સં૦ તેજપાલે સં૦ ૧૬૮૨ ના ચોમાસામાં અમદાવાદમાં “સીમંધરસ્વામીને ભાતરંગ” ઢાળઃ ૪૩, તથા ભગવાન અજીતનાથની સ્તુતિ.” તેની “અવચૂરિ” વગેરે બનાવ્યાં. સંવરી તરક્શી જિનપ્રતિમાઓ શાહ તેજપાલ તથા શાહ કલ્યાણજીએ સં. ૧૬૮૩ના જેઠ સુદિ ૩ ના દિવસે અમદાવાદમાં ભણશાળી દેવાની બહેન રૂપાઈના જિનાલયમાં ભ૦ સંભવનાથ વગેરે તીર્થકરોની રત્નમય, પિત્તલમય અને પાષાણમય ૭૫ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ અંજનશલાકામાં શાક તેજપાલે પિતાના તરફથી પાંચ આંગળની ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી, જેને તેણે અમદાવાદ પાસેના હેબતપુરના ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયમાં બેસાડી હતી, તેમજ શા કલ્યાણજીએ પણ પિતાના તરફથી ૧૭ આંગળની ભ૦ વિમલનાથની પ્રતિમા ભરાવી, જેને તેણે હેબતપુરના ભ૦ અભિનંદન સ્વામીના જિનાલયમાં બેસાડી હતી. ગ્રંથ શા, તેજપાલે સં. ૧૬૮૪ના વૈશાખમાં અમદાવાદમાં નવા જિનપ્રાસાદમાં ભ૦ અભિનંદસ્વામીની પ્રતિમાને પ્રવેશ કરાવ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy