SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ પુત્ર કલાએ લંકામતની દીક્ષા લેવાનું મેકુફ રાખી, સીધા તપગચ્છમાં જ સંવેગી દીક્ષા લીધી હતી, પણ ગ્રંથકારે અને પટ્ટાવલી” કારે શ્રી કલાને લંકાગચ્છના યતિપણામાંથી આવેલા બતાવે છે, તે બરાબર નથી. સંભવ છે કે, અસલમાં બીજા સૌ લેકાગચ્છમાંથી આવેલા એ વાતને જૂદી ન સમજાયાથી શ્રીકલાની સાથે પણ એ વાત જોડી દીધી છે, એટલે ૧૦ જણ લૂંકાગચ્છમાંથી આવ્યા. એટલું બતાવવા પૂરતું જ આ ભેળસેળ લખાયું હોય. વિક્રમની ૧૭મી સદીના અંતમાં બુદ્ધિભ્રમના કારણે લંકાગચ્છમાંથી ઢંઢિયામત નિક. તે આ પ્રમાણે (૧) સં. ૧૬૨માં અથવા સં૦ ૧૭૦૯માં વડોદરાની ગાદીના શ્રીપૂજ વરસિંગજીના સૂરતના શ્રીમાળી શિષ્ય લંકાગચ્છના પતિ લવજીએ સૂરતમાંથી પોતાના ગુરુથી જુદા પડી, અને લંકાગચ્છમાંથી યે છૂટા પડી સ્વતંત્ર હુંઢિયાપથ સ્થાપિત કર્યો. (૨) સં૦ ૧૬૮૫ કે સં. ૧૭૦૯માં અમદાવાદમાં બાલાપુરની ગાદીના ઋષિ શિવજીના પ્રશિષ્ય સરખેજના ભાવસાર લંકાગચ્છના યતિ ધર્મદાસજીએ મુખપટ્ટી બાંધી હુંઢિયામત ચલાવ્યું. તેમણે આઠ કટિ ઢંઢિયામત સ્થાપિત કર્યો (૩) અને બાલાપુરની ગાદીના શ્રીપૂજ શિવજીના એક શિષ્ય કદાગ્રહ કરી, ગુરુથી જુદા પડી, મુખપટ્ટી બાંધી, જિનદર્શન તથા જિનપૂજાને વિરોધ કરી, તપસ્વી બની, ઢુંઢિયામાં ભળી જઈ તેમાં માન્ય બની અને તેમણે સં. ૧૭૧૨ માં લાહેરમાં ગુરુ આજ્ઞા લેપી સ્વતંત્ર હૃદિયામત ચલાવ્યું. (–પટ્ટાવલી સમુચ્ચય ભાવ ૧. પૃ. ૧૫૬) આ ત્રીજા મતમાંથી પંજાબમાં અજીવપંથ નીકળે. ' આ મતેનાં ઢુંઢિયા, બાવીશટેળા, બારાપથી, સ્થાનકવાસી, સ્થાનકમાણી વગેરે ઘણું નામે મળે છે. આ સમયે વડોદરાના વતની મેટા કવિ ભાવસાર ભીમજીએ સં. ૧૬૨૧ના ભાદરવા સુદિમાં વડેદરામાં શ્રી ગૌતમસ્વામી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy