SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ કે, “આ૦ સેમદેવની પાટે આ૦ સુધાનંદને કાયમ રાખ્યા. અને તેજ આ૦ સુધાનંદનના હાથે ઉ૦ રત્નમંડનને આચાર્ય પદવી અપાવી. ૫૦ હેમહંસને “મહોપાધ્યાય” બનાવ્યા અને ગચ્છમેળ કરાવ્યું. આ સોમદેવની પાટે (૧) આ. સુધાનંદન (૨) આ. સમજય થયા. અમદાવાદને બાદશાહ મહમ્મદ બેગડા (સં. ૧૫૧૬ થી ૧૫૭૦) ના મંત્રી ગદરાજ ગૂજરે શ્રીમાલીએ સેજિત્રામાં દેરાસર કરાવી આ૦ સોમદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૨૫ માં આ૦ લક્ષ્મીસાગરસૂરિના હાથે આબૂ ઉપર પિત્તલહર જિનપ્રાસાદમાં ૧૨૦ મણની ભ૦ ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સં. ૧૫રમાં અમદાવાદમાં બંને આચાર્યોના ઉપદેશથી જ્ઞાનભંડાર સ્થાપિત કર્યો. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૧, પ્રક. ૫૩ પૃ. ૪૪) “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે, તપાગચ્છના (૫૪મા) આ૦ સેમદેવસૂરિ, ખરતરગચ્છના (૫૪મા) અ. જિનહંસસૂરિ (પ્ર. ૪૦, પૃ. ૪૭૯) અને અંચલગચ્છના (૫૩) આ૦ જયકેશરિસૂરિ (પ્ર. ૪૦, પૃ. ૫૩૧) એ ત્રણ આચાર્યોએ કચ્છના માંડવી બંદરમાં એકઠા થઈ સૌરાષ્ટ્રમાં ફેલાતા” ફેંકાગચ્છને રોકવા માટે સં. ૧પ૩૯માં પિત પિતાના ગચ્છમાં આજ્ઞાધમ સ્થાપિત કર્યો. “ક્ષેત્રાદેશ વગેરેની મર્યાદા” બાંધી આપી. (વિ. વિ. પટ્ટા સ૦ પૃ૨૧૮) નોંધ : અમને એમ લાગે છે કે, એ સમયથી ત્રણે ગચ્છના આચાર્યોએ પ્રતિક્રમણનો વિધિ લગભગ એકસરખો ગોઠવ્યો. એટલે બધા ગચ્છના જેને એક સાથે બેસી પ્રતિક્રમણ કરે અને એકતાને કેળવી શકે. મણિભદ્રવીર–સં. ૧૫૪૭માં ધાણધાર (પાલનપુર વિભાગ)માં મણિભદ્ર યક્ષ પ્રગટ થયે. આચાર્યશ્રીએ “ભૂતિ” ગામમાં કે બરલૂટમાં ૫૦ (૫) જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરી, આ૦ સેમદેવસૂરિ વાગડના વઢિયારનગર ( _)માં સ્વર્ગે ગયા. (વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૨૧૮) ૫૫ આ૦ સુધાનંદનસૂરિ તે આ સમદેવસૂરિના દીક્ષા શિષ્ય હતા, પ્રીતિપાત્ર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy