SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તે મંદિરનું નામ “વિદ્ગાપહાર પાર્શ્વનાથ' રાખ્યું. પિસીનાને જેને આજે તેને “પુરિસાદાણું પાર્શ્વનાથ” તરીકે ઓળખે છે. મૂળનાયકની પ્રતિમા ભવ્ય છે, ગાદીમાં ધર્મચક અને વેલબુટ્ટા કેરેલા છે. (-પ્રક. ૪૫, પૃ. ૩૬૪) મંત્રી પાસે આ મંદિરમાં બે મોટા મંડપ કરાવ્યા અને તેમાં દેરીઓ પણ બનાવી, તે દેરીઓ ખાલી હતી, પછી તેમાં ભ૦ આદિનાથ તથા ભ૦ શાંતિનાથની જિનપ્રતિમાઓ બેસાડવામાં આવી હતી, જે પ્રતિમાઓ ઉપર આ પ્રકારે લેખો મળે છે.– (१) संवत् १४...वर्षे मार्ग वदि ४ दिने पुण्यार्के प्राग्वाट-ज्ञातीय व्य० गोपालभार्या अमिव मुत व्य० अर्जून न सु....श्रेयोर्थ श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीसोमसुंदरसूरिभिः । भद्रं भूयात् श्रीसंधभट्टारकाय || એટલે શેઠ ગોપાલના પુત્ર અર્જુને સં. ૧૪૭૭ (અથવા ૧૪૮૧)માં માગશર વ૦ ના રોજ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ભગવાન પાર્શ્વનાથના મંદિરના મંડપની એક દેરીમાં ભ૦ આદિનાથની પ્રતિમાની તપાગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જેને શિલાલેખ ત્યાં વિદ્યમાન છે (–પ્રક. ૪૫ પૃ૦ ૩૬૫) - ૨. પિસીનાના શેઠ તડમલ પિરવાડના વંશના શેઠ માંડણે સં. ૧૮૮૧માં ભ૦ પાર્શ્વનાથના મંડપની બીજી દેરીમાં તપાગચ્છ નાયક ભ૦ સોમસુંદરસૂરિના હાથે ભ૦ શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૪પ, પૃ. ૩૬૫) તે પછી શેઠ અર્જુન અને શેઠ માંડણ કે તેમના વંશજોએ આ બંને દેરીમાં રહેલા ભગવાને માટે સ્વતંત્ર જિનપ્રાસાદો બનાવી, તેમાં તે બને ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ ત્રણે મંદિરને સં૦ માં ભર વિજયદેવસૂરિના ઉપદેશથી મેટે જીર્ણોદ્ધાર થયે, ત્યારે ભવ પાર્શ્વનાથના મંદિરના આ મંડપની ખાલી રહેલી બંને દેરીઓમાં મૂળનાયક તરીકે ભ૦ આદિનાથની અને ભ૦ પદ્મપ્રભુ જિનેશ્વરની નવી મૂર્તિઓ પધરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy