SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણપચાસમું ]. આ દેવસુંદરસૂરિ ૪૩૯ પૂજાની મના કરનારા, કે સ્વેચ્છાચારી પ્રવૃત્તિવાળા નથી, સૌ શુદ્ધ સમાચારીના પાલક છે. આથી બધાયે આચાર્યો વગેરેમાં આપસઆપસમાં પ્રેમ છે. શુદ્ધ સંવેગીપણું છે. સૌને આગ પ્રત્યે ' સંપૂર્ણ વિશ્વાસ છે અને ગુણ પ્રત્યે વફાદારી છે. આ ગચ્છમાં પિતાના, કે પરાયાના વાડા નથી, સંસારી સુખની લાલચ નથી, આવા મુનિવરે અને આવી શાસનની વફાદારી બીજે ક્યાંય દેખાતી નથી, તે જેને આત્માનું કલ્યાણ કરવું હોય, તેણે આ ગચ્છનું જ સેવન કરવું જોઈએ” આ૦ દેવસુંદરસૂરિને ગચ્છ આવો ઉત્તમ છે. (–ગુર્નાવલી કલેક ૪૧૬ થી ૪૭૫) સ્વર્ગગમન-વીરવંશાવલીકારી લખે છે કે રાયખંડની વડલીના વિશા પોરવાડ સં. ગોવિંદે તારંગાતીર્થમાં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરી, તે પછી સં. ૧૮૬૨માં ઓડછામાં આ૦ દેવસુંદરસૂરિનું સ્વર્ગગમન થયું. આ સેમસુંદરસૂરિતે વખતે દેવપાટણમાં વિચરતા હતા, (-વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩) આ આધારથી સમજાય છે કે, આ દેવમુંદરસૂરિ સં૦ ૧૪૬માં અને ત્યારબાદ સં. ૧૪૭૯ત્ની તારંગાતીર્થની પ્રતિષ્ઠા સુધી વિદ્યમાન હતા પણ સં. ૧૪૬ની રાણકપુરની પ્રતિષ્ઠા વખતે વિદ્યમાન નહતા. તે તેમનું એ સમય દરમિયાન એટલે સં૦ ૧૪૮૨ કે ૧૪૯૨માં સ્વર્ગગમન થયું હોય, એમ જણાય છે. શેઠ ધારીએ પંદર દિવસના ઉપવાસ કરી દેવ સાધ્યો. તેણે દેવે શેઠને જણાવ્યું કે, “ભગવાન સીમંધરસ્વામીએ કહ્યું છે, કે ભ૦ દેવમુંદરસૂરિ ત્રીજે ભવે મોક્ષે જશે.” (-ગુ. લેર ૩૧૨) - જૈનધર્મને કટ્ટર વિરોધી વડોદરાને મંત્રી સારંગ હતું, તેણે એક દેવની ભલામણથી સિદ્ધપુર જઈ ભ૦ દેવસુંદરસૂરિને “મેટા જ્ઞાની” જાણું, વેદ-વેદાંતના જે પ્રશ્નો પૂછ્યા, તેના ઉત્તરે સાંભળ્યા પછી તે જન બન્ય.. ધનાઢય સમકતી બારવ્રતધારી જ્ઞાની સચિત આહારના ત્યાગી સુદર્શન શેઠે પણ દેવદ્વારા ભ૦ દેવસુંદરસૂરિની યુગપ્રધાનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy