SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૩૭ ૧૪. ઠાઇ અરજણજી બીજે. ૧૫. ઠા. કાંધાજી (બીજો)–તેણે શેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ રતન સૂરા, અને તપાગચ્છના કારખાનાને તથા જૈન સંઘને સં. ૧૭૦૭ના કાર્તિક શુદિ ૧૩ને મંગળવારે તીર્થની પાકી ચેકીને કરાર લખી આપે. તેમાં સારા માણસની સાખ પણ કરાવી. એ રીતે શત્રુંજય તીર્થને યાત્રાળુઓના રખેપાનું કામ માથે લીધું. તે રબાપા-કરાર આ રીતે મળે છે. (પ્રક. ૪૪, પૃ. ૨૨૪) સંવત્ ૧૭૦૭ (સને ૧૬પ૧)ને રખેપ કરાર “| 8 સંવત્ ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભેમે ગોહિલ શ્રી કાંધાજી તથા નારાજી તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમદે જત લખત આમા શ્રી સેવં જાની ચેકી પહરૂ કરું છું, તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધું છે. શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરા તથા સમસ્ત સંઘ મળી શ્રી શેત્રુંજી સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ, તેનું અભિ કરાર દીધું છે, તે અમે બાપના બેલશું પાળવું. તેની વિગત્ય શ્રી શેત્રુજઈ સંઘ આવી તેની ચુકી પુહુરૂ કરે. જે સંઘ આવિ તે પાસિ મલણું કરી લેવું, તેની વિગત. સુખડી મણ ૧ તથા લુગડાના જામી રાા મોટી સંધિછઠીઆ, તથા પાલુ સંઘ આવિ, તે પાસે મલાણું ન લેવું. ગાડી ૧ જામી રાા અંકે અઢી લેવી. મેટા સંઘ મધે પ્યાદા હઅિ તેનું ન લેવું. બીજું છઠવિવા આવી તેની માણસ ૧૦૦ જામી ૬૦ લેવી. મલેણું માગવું નહી. વળી બીજું માણસ પાસુ આવી તે જણ ૧ ની જામી છે અને અરધી લેવી, અદકું કહી ન લેવું. સંઘ શ્રી શેત્રુંજી જાત્રા કરવા આવી તે પાસેથી એ કરાર લેવું. ગચ્છ ૮૪ રાશીનું એ કરારિ લેવું. તથા એ કરાર બાપના બેલ પાળવું. તથા શ્રી આદીશ્વરની સાખી પાલવું. રણછોડજીની સાખી પાલવું. કારખાના પાસિ ન લેવું તપાગચ્છની શ્રી. અત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy