SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ અમદાવાના કેટને ૧૮ દરવાજાઓ હતા. અમદાવાદ નગરની સ્થાપના સાથે સંબંધ ધરાવતી વાતે જેવી કે આશાભીલને તેણે હરા, આશાભીલની પુત્રી અને બાદશાહને પ્રેમ, માણેકનાથ બાવાને ચમત્કાર, સમલા ફતરાની લડાઈ, ગૂજરી કુંઅરીની વાત, અને મસાણિયા હનુમાનની દંતકથાઓ વગેરે જે ચાલે છે, તે બધી વાતે પ્રામાણિક નથી. છતાં બનવાજોગ છે કે, કર્ણ રાજાના સમયથી કર્ણાવતીને રક્ષક ભીલ સરદારને વંશજ હોય? અને હિંદુઓને “મીઠો સહકાર” મેળવવા માણેક ચેક નામ રાખ્યું હોય. નામ અમદાવાદનાં અહમ્મદાવાદ, અહિમ્મદાવાદ, અમદાવાદ, અહમદનગર, અમીપુર, શ્રીનગર રાજદ્રગ અને રાજનગર વગેરે નામે મળે છે. સંભવ છે કે, મહમ્મદ બેગડાએ (સને ૧૪૫૯ થી ૧૫૧૧) મુસ્તફાબાદ (જૂનાગઢ) તથા મહમદાવાદ (મહેમદાવાદ) એ બંને નગર વસાવ્યાં હતાં તેમજ તેણે પાટનગર અમદાવાદને પણ વધુ સુશોભિત બનાવ્યું હોય.? ઉ૦ વિદ્યાસાગર ગણિના શિષ્ય પં. કૃપાસાગરજીએ વિ. સં. ૧૭૨૨ માં “મ૦ ના પૂરિ ' બનાવ્યું છે તેમાં તેમણે અમદાવાદનું સુંદર વર્ણન આલેખ્યું છે (પૃ. ૫૭) એ વર્ણનની નમૂના પૂરતી એકાદ કડી આ પ્રમાણે છે. ઘણા તારણે મંડળ પૂતળી, કેરણીઈ બહુ ભામીલી; જેમાં એહવા જિનપ્રાસાદ, એહવુંનગર શ્રી અમદાવાદ ૯૬.” પિળ અને પાડાઓ– બાદશાહ અહમ્મદશાહે નવા પાટનગરમાં ગુજરાતની પુરાણ રાજધાની પાટણ શહેરની પદ્ધતિએ નિવાસેની વ્યવસ્થા ગોઠવી હતી. તળ અમદાવાદનાં નિવાસસ્થાને બે જાતનાં મળે છે – (૧) પી–ચારે બાજુએ દીવાલ અને પ્રવેશના સ્થાને દેહલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy