SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાલીસમું 1 તપસ્વી હીરલા આ જગચંદ્રસુરિ ૧૨૫ વધારે તથા પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી (હુકમ થયો) કે, એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારો લે નહીં અને એમને તુચ્છ કરવા નહીં. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા ચાહનારા કે ખેરાત કરનાઓમાંથી કઈ તેને સુધારે છે તેને પાયે નાખે, તે કઈ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરે નહીં અને જેવી રીતે ખુદાને નહીં ઓળખનાર, વરસાદને અટકાવ અને એવાં કામે કે જે પૂજવાલાયક જાતનાં (ઈશ્વરનાં) કામે છે તેને આરેપ, મૂર્ખાઈ અને બેવકૂફીના લીધે જાદુનાં કામ જાણી તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુઃખ આપે છે. તેમ તેઓ જે ધર્મકિયાએ કરે છે તેમાં અટકાવ કરે છે, એવાં કામને આરેપ એ બિચારાઓ ઉપર નહી મૂકતાં, એમને પિતાની જગ્યા અને મુકામે સુખેથી ભક્તિનું કામ કરવા દેવું તેમ પિતાના ધર્મ મુજબ ક્રિયાઓ કરવા દેવી. તેથી તે શ્રેષ્ઠ ફરમાન મુજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે એ ફરમાનને અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરુદ્ધ કેઈ હુકમ કરે નહીં. દરેકે પોતાની ફરજ જાણું ફરમાનથી દર જર કરવી નહીં અને તેની વિરુદ્ધ કરવું નહીં. તા. ૧ લી શહચૂર મહિને, ઈલાહી સન ૪૬, મુવાફિક તા. ૨૫ મહિને સફર, ૧૦૧૦ હાજરી. પેટા ભાગનું વર્ણન ફરવરદીને મહિને, જે દિવસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે દિવસે, ઈદ મેહરને દિવસ, દરેક રવિવારે, તે દિવસ કે જે બે સૂફિયાના દિવસની વચમાં આવે છે. રજન મહિનાના સોમવાર, આબાન મહિને કે જે બાદશાહના જન્મને મહિને છે. દરેક શમશી મહિના પહેલા દિવસ, જેનું નામ એરમઝ છે અને બાર પવિત્ર દિવસે કે જે શ્રાવણ મહિનાના છેલ્લા છ અને ભાદરવાના પ્રથમ છ દિવસે મળીને કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy