SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ નેંધપાત્ર ઐતિહાસિક પ્રસંગે પણ બન્યા હતા. તે પ્રસંગે કેટલાક આ પ્રકારે જાણવા મળે છે – (૧) અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ ઉ૦ નેમિસાગર ગણિ અને ૫૦ મુક્તિસાગરગણિની કૃપાથી “પિતાના ભાગ્યને સિતારે હવે ચમકશે” એમ જાણું આગરામાં બાઅકબરના મેગલ દરબારમાં જઈમેતીની સાચી પરીક્ષા કરી મેટી નામના મેળવી હતી. તે પછી બાટ અકબરની એક બેગમ કેઈ કારણસર અમદાવાદ આવી ત્યારે, શાંતિદાસ ઝવેરીએ તેની ખૂબ ખાતર બરાસ્ત કરી, આથી બેગમે તેને પોતાનો ધર્મભાઈ બનાવ્યો. એ સમયે શાહજાદે જહાંગીર પણ માતાની સાથે અમદાવાદ આવ્યો હતો. તે શાંતિદાસને મામા કહી બોલાવતો હતો. સં. ૧૯૬૫માં જ્યારે તે દિલ્હીને બાદશાહ બન્ય, ત્યારે તેણે શાંતિદાસ ઝવેરીને ગૂજરાતને સૂ બનાવવાની ભાવના રાખી હતી, પણ ઝવેરીએ સૂબા બનવાની ના પાડી, આથી “ગુજરાતના સૂબાઓ તેનું પૂરું માન-સન્માન કરે,” એ તેણે પ્રબંધ કર્યો હતો. (૨) બાઇ જહાંગીર પિતાના ર૭ વર્ષના શાહજાદા શાહજહાંને સાથે લઈ સં૦ ૧૬૭૪–૭૫ (સને ૧૬૧૭)માં અમદાવાદ આવી ઘણા મહિના સુધી કાર્યો હતો. તે દરમિયાનમાં અમદાવાદમાં શાહજાદા શાહજહાં અને અસફખાનની રૂપાળી કન્યા સુમતાઝ મહાલને વિવાહ થયો. મુમતાઝે તા. ૨૪-૧૦-૧૬૧૮ ના રેજ મારવાડમાં શાહજાદા ઔરંગજેબને જન્મ આપે. ભારત ઈગ્લાંડ મિત્રી – (૩) લંડનનો એલચી – બા. જહાંગીરને ઈંગ્લેંડના રાજા જેમ્સને એલચી ટોમસરે અમદાવાદમાં મળ્યું હતું અને તેણે સને ૧૬૧૭માં “ઈલેંડ તથા ભારતની વચ્ચે વેપારી સંબંધ નક્કી કરી કેલકરાર કર્યા હતા.” ત્યારથી બાઇ જહાંગીર અને રાજા જેમ્સની વચ્ચે મૈત્રીભર્યો પત્રવ્યવહાર શરૂ થયો હતો. બા, જહાંગીરે રાજા જેમ્સને તા. ૨૦–૨–૧૬૧૮ના રોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy