SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઈતિહાસભાગ ૩ [ પ્રકરણ () બાદશાહ અકબરે પંજાબમાં હતો ત્યારે એક દિવસે ત્યાં રાવી નદીના કિનારે મોટા જંગલમાં ચારે બાજુએ સિનિકોને ઘેરે ગોઠવી, પશુઓને બહાર જવાના રસ્તા રકાવી, સ્વછંદપણે પ્રાણીઓને માટે સંહાર કર્યોન કરાવ્યું હતું. બાદશાહ અકબરે પિતાના આ અત્યાચારને યાદ કરી, મનમાં દુઃખ પામી પસ્તા કર્યો અને આ હીરવિજયસૂરિ પાસે તે કૂર કામનું પ્રાયશ્ચિત્ત માગ્યું અને સાથે સાથે પ્રતિજ્ઞા કરી કે “હું હવે પછી આવી ક્રૂરતા કરીશ નહીં.” (૯) અકબરે આચાર્યશ્રીને શત્રુંજયતીર્થ ભેટ તરીકે આપ્યું અને શત્રુંજય પહાડ ઉપર જેનેને નવાં જિનાલય બાંધવાની રજા આપી. શત્રુંજય તીર્થની યાત્રાળુઓની બધી જાતના કરે માફ કર્યા, તથા ભારતના સર્વ જૈન તીર્થો, જિનાલયે અને ઉપાશ્ર એને પૂરું રક્ષણ આપ્યું. (૧૦) આગરા, ફતેપુર સિક્કિી, લાહોર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળોમાં નવાં જિનાલયે અને નવા ઉપાશ્રયે બનાવવાની રજા આપી. (૧૧) પિતાની આજ્ઞામાં રહેતાં સર્વ રાજ્યોમાં દર સાલના લગભગ ૬ મહિના જેટલા દિવસે માં શિકાર બંધ કરાવ્યો અને માંસભજન ઉપર પ્રતિબંધ મૂક્યો. અહિંસા ફરમાન - બાદશાહે આ અહિંસા પળાવવા માટે પિતાનાં સર્વ રાજ્યમાં પિતાની મહોર લગાવી ફરમાને લખી મોકલ્યાં હતાં. તે ફરમાનમાં ગુજરાતી શ્રાવણ વદિ ૧૦ થી ભાદ્રપદ શુદિ ૬ સુધીના ૧૨ દિવસ, બાર સૌર મહિનાના પહેલા ૧૨ દિવસે, સાલભરના ૪૮ રવિવારે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને દિવસે, ઈસ્લામી ૭મા રજબ મહિનાના દરેક ચાર સંમવારે, સૌર મહિનાને સર્વ તહેવારે, ઈરાની ફરવરદીન મહિનાના સર્વ ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy