SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીશમું ] આ વિજયસિંહસાર ૭૧૩ ૧–નાગરવંશ—ગુજરાતનું કાવી તીર્થ પણ નાગર નેએ સ્થાપન કરેલું છે. તેની વંશાવલી આ પ્રકારે મળે છે – " गूर्जरमण्डलमण्डनमभयं वडनगरमस्ति तत्रासीत् । नागरलघुशाखायां भद्रसियाणालघुगोत्रे ॥" (૧) ગાંધી દેપાલ શાહ –તે વડનગરમાં રહેતો હતો. તે નાગરજ્ઞાતિ, દશા શાખા અને ભદ્રસિયા ગોત્રને વ્યાપારી હતો અને ધર્મ પ્રેમી હતો. (૨) અલુએ. (૩) લાડકચંદ્ર–તેને પત્ની નામે પત્ની હતી અને બાડુક (બાહુઓ) તથા ગંગાધર એમ બે પુત્રો હતા. (૪) બાહુક–તે નાગર વ્યાપારીઓ સાથે વડનગરથી નીકળી ખંભાતમાં આવીને વ. તે જગદ્ગર આ૦ શ્રીહીરવિજયસૂરિના ઉપદેશથી દઢ જેન બન્યો અને પરિવાર તેમજ ધનથી સંપન્ન થયે. તેને પિપટી અને હીરા નામે બે પત્નીઓ હતી અને ત્રણ પુત્રો હતા. પિપટીથી કુંવરજી અને હીરાથી ધર્મદાસ તથા વરદાસ નામે પુત્રો હતા. બાકે કાવીમાં જૂના મંદિરને જીર્ણોદ્ધાર કરાવતાં પૂર્વ તથા પશ્ચિમમાં ૯૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળો ભ૦ ઋષભદેવને સર્વજિતપ્રાસાદ કરાવ્યું. આ. વિજયસેનસૂરિએ જગદ્ગુરુની આજ્ઞાથી સં. ૧૬૪૯ના માત્ર શુ. ૩ ના રોજ ખંભાતથી લાહેર તરફ વિહાર કર્યો અને શેઠ બાહુકે પિતાના ત્રણ પુત્રોને સાથે રાખી આચાર્યશ્રીના વાસક્ષેપથી તેમના શિષ્યોના હાથે સં૦ ૧૬૪૯ના માહ સુદિ ૧૩ ને સોમવારે સર્વજિતપ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં પહેલાં અંજનશલાકા કરેલા પ્રાચીન ભ૦ નષભદેવ તથા ભ૦ મહાવીરસ્વામીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સર્વજિતપ્રાસાદ ભવ્ય હતો. વિશાળ હતો પણ તેને દરવાજો નાનો હતો. મુસલમાની ધાડાંઓથી બચાવવાને માટે દર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy