SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ૬૪૯ રાજ્યમાં પાટણમાં મહામાત્ય મુંજાલની વસહીમાં રહી આ પ્રતિ લખી છે. એટલે મુંજાલે એક ઉપાશ્રય બંધાવ્યું હતું. તે મુંજાલ એ શૂરવીર, બુદ્ધિમાન, રાજનીતિનિપુણ અને જૈનધર્મપ્રેમી હતે. (-પ્રબંધચિંતામણિ, દુર્ગાશંકર શાસ્ત્રીને ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પ્રક. ૧૨, પૃ૦ ૨૬૬) વિમલશાહ (ધર્કટશ્રીમાલી) મંકાનગરમાં શ્રીમાલીવંશને ધકેટગેત્રને અને થારાપદ્રગચ્છને શેઠ વા નામે જૈન રહેતો હતો, તેને બળવાન અને વિમલ દિલવાળે વિમલ નામે પુત્ર હતો. આ વિમલકુમારે પં૦ ૧૧૨૬ના વૈશાખ વદિ ૧૧ને શનિવારે પરિકરવાની જિનપ્રતિમા બનાવી. આ પરિકર આજે જમણપુરના દેરાસરમાં મૂળનાયકની ગાદી નીચે વિદ્યમાન છે. (–જેનસત્યપ્રકાશક : કમાંક : ૧૫, પૃ૦ ૧૨૨) મહામાત્ય ઉદયન શ્રીમાળી (સં. ૧૨૦૮) મારવાડમાં જાલોર અને રામસેન વચ્ચે આવેલા વાઘરા ગામમાં શેઠ બેહિત્યની પરંપરામાં અનુક્રમે શેઠ અવેશ્વર, શેઠ યક્ષનાગ, શેઠ વદેવ, અને શેઠ ઉદયન થયા હતા. શ્રીમાળીવંશના આ કુટુંબમાં ઉદયન (ઉદા) મહેતા પ્રથમ ઘીને વેપાર કરતા હતા. તેમને સુહાદેવી નામે પત્ની હતી. ઉદા મહેતાએ એક રાતે એક ખેતરમાં કેટલાક પાણી વાળિયાને જોયા અને તેઓને પૂછ્યું, “તમે કેણ છે?” તેઓએ પિતે અમુકના મજૂર છીએ એમ જણાવ્યું ત્યારે મહેતાએ ફરીવાર પૂછયું, “મારા મજૂરે ક્યાં છે તેમણે ઉત્તર વાળ્યું કે, “કર્ણાવતીમાં.” એ જ અરસામાં મહારાજા કર્ણદેવે સાબરમતીના કાંઠે કર્ણાવતી વસાવી હતી. - ઉદા મહેતા મજૂરના ઉપર્યુક્ત જવાબને શકુન માની પત્ની સુહાદેવી અને પુત્રે ચાહડ ને બાહડ વગેરે કુટુંબને સાથે લઈ કર્ણા વતીમાં આવીને વસ્ય. - અહીં આવતાં તે સર્વ પ્રથમ વાયડગચ્છના જૈન દેરાસરમાં પ્રભુ દર્શને ગયે. એ જ સમયે શાલાપતિ ત્રિભુવનસિંહની પત્ની લચ્છી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy