SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજે [ પ્રકરણ આ લેકમાં ઘુમ્ન અને આ૦ પ્રદ્યુમ્નસૂરિનાં નામ છે, એટલે સંભવ છે કે કવિને માલધારી આ૦ હેમચંદ્રસૂરિ અને આ ચંદ્રસૂરિ સાથે પરિચય થયો હોય. (-જૈનસ્તોત્ર દેહ, ભા. ૨, તે નં૦ પ૩, પૃ૦ ૧૯૪) (૩) કર્ણસુંદરીનાટિકા-જેમાં નાંદીમાં તીર્થકરનું મંગલાચરણ છે). (૪) વિક્રમાંકદેવચરિત–સં૦ ૧૧૪૨ (દક્ષિણના સોલંકીઓને ઈતિહાસ છે). મંત્રી શાંતુ પરાક્રમી, બુદ્ધિશાળી, ચતુર રાજનીતિજ્ઞ, ધર્મપ્રેમી જૈન હતું. તેણે પોતાના જીવનમાં દેવ, ગુરુ અને રાજવી માટે નિશ્ચિત મર્યાદા બાંધી લીધી હતી. એ મુજબ દેવ તરીકે તીર્થકને, ગુરુ તરીકે સુસાધુઓને અને રાજા તરીકે જયસિંહદેવને જ માનતો હતો અને નમસ્કાર કરતો હતો બીજાને તે એવી મહત્તા આપતે નહોતે. એક વાર સિદ્ધરાજ જયસિંહથી રીસાઈને તે માલવા ચાલ્ય ગયે પણ તે ત્યાંના રાજવીને નમે નહીં. તેણે જણાવ્યું, “રાજવી તરીકે જયસિંહ સિવાય બીજાને હું મારું માથું નહીં નમાવું” આ રાજભક્તિની હકીકત સાંભળીને જયસિંહે તેને પ્રેમથી ગુજરાત બોલાવ્યો અને મેવાડ-માળવાને સંધિ જેવા આહડ ગામમાં છેલ્લે પહેરે અનશન લઈ સ્વર્ગસ્થ થયે. મંત્રી શાંતુ દીર્ધાયુષી હતે. માળવાના જય પછી એટલે સં. ૧૧૫ લગભગમાં તે મરણ પામે. મંત્રી મુંજાલ– તે કર્ણદેવને મંત્રી હતા. રાજા સિદ્ધરાજે માળવા ઉપર ચડાઈ કરી ત્યારે તે ધારાનગરીમાં સાંધિવિગ્રહિક તરીકે હતો. તેણે જ બહાર રહેલા રાજા સિદ્ધરાજને ધારાને કિલ્લે તેડવાને બૃહ બતાવ્યું હતું. તેણે પાટણમાં મુંજાલવસહી બંધાવી હતી. “ગદષ્ટિસમુરચયની તાડપત્રની પ્રતિની પુષ્પિકામાં લખ્યું કે, “સં ૧૧૪૬માં કર્ણદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy