SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીમું ] આ જિતદેવસૂરિ स्वतन्त्र देव ! भूयासं सारमेयोऽपि वर्त्मनि । मास्म भुवं परायत्तस्त्रिलोकस्यापि नायकः ' ॥ १५॥ " (-ઘેાડશિકા) ' स्वातन्त्र्यश्रीपवित्राय परमब्रह्ममूर्तये । साधिताशेषसाध्याय नमो भगवतेऽर्हते ॥१॥ તેમના આ શબ્દો તેમના સ્વભાવનો પરિચય કરાવે છે કે, તેઆ સ્વતંત્રતાના પૂજારી હતા. તેઓ સ્થૂલ સૃષ્ટિના નહીં પણ દિવ્ય દૃષ્ટિ એટલે કેવળજ્ઞાનના ઈચ્છુક હતા. ૬૨૧ આ રામચંદ્ર રાજા કુમારપાલની રાજસભાના સમર્થ કવિ હતા. કોઈ પણ મહારના વિદ્વાન કવિ રાજસભાની પરીક્ષા કરવા અટપટી સમસ્યા મૂકે તેા આ૦ રામચંદ્ર પોતાની અદ્ભુત શક્તિથી તે સમસ્યા પૂરતા હતા, જે સાંભળીને આગંતુક કવિ માથું ધુણાવી દેતા હતા. આ॰ માલચદ્ર અને આ૦ રામચંદ્ર વચ્ચે કારમું વૈમનસ્ય હતું. સ૦ ૧૨૩૦ માં અજયપાલ સોલંકી ગુજરાતને રાજા થયા ત્યારે તેણે આ॰ બાલચંદ્રની શિખવણીથી આ૦ રામચંદ્રને કહ્યું કે, ‘તમે આ હેમચંદ્રની પાટે આ ખાલચ ંદ્રને સ્થાપો.' આચાર્યશ્રીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે, તેમ કરવાની ગુરુદેવની આજ્ઞા નથી. એ બનવાનું નથી.’ " રાજાએ હુકમ કર્યો કે, ‘મારા રાજહુકમ છે કે તમે એ પ્રમાણે કરા; નહીંતર રાજાના લોપવાના દંડ તરીકે તપાવેલ તાંબાની પાટ ઉપર બેસી જાઓ.' આચાર્યશ્રીએ ગુરુદેવની આજ્ઞાના પાલન માટે ત્યાં પેાતાનુ બલિદાન આપ્યું. તેઓ છેલ્લે એટલું જ બાલ્યા કે– “જગતને પ્રકાશ આપનારા સૂર્ય પણ આથમે છે માટે જે થવાનું હાય તે જ થાય છે.” ‘રઘુવિલાસનાટક’ની પ્રસ્તાવનામાં આ૦ રામચંદ્ર પાતાના વિશે કહે છે--- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy