SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૬૯ नारीणां विदधाति निर्वृतिपदं श्वेताम्बरप्रोन्मिषत् कीर्तिस्फातिमनोहरं नयपथप्रस्तारभङ्गीगृहम् । यस्मिन् केवलिनो न निर्जितपरोत्सेकाः सदा दन्तिनो ___ राज्यं तजिनशासनं च भवतः चौलुक्य ! जीयाच्चिरम् ॥ –હે ચૌલુક્યરાજ ! સ્ત્રીઓને પણ મોક્ષની પ્રાપ્તિનું વિધાન કરનારા વેતાંબરેથી વિકસિત અને સ્કુરાયમાન કીર્તિ વડે જે મનેહર લાગે છે. વળી, નયમાર્ગના વિવિધ પ્રકારે અને ભંગે જેમાં દર્શાવ્યા છે અને બીજાઓ–પરવાદીઓના ગર્વનો સદા પરાજય કરનારા હાથીઓ જેવા કેવળજ્ઞાનીઓ જેમાં છે, એવું તારું રાજ્ય અને જિનેશ્વર ભગવંતનું શાસન ચિરકાળ જય પામે. ' શ્રેતાઓ સમજી ગયા કે, આ મંગલાચરણ જ વેતાંબરેને વિજય બતાવે છે. વાદી કુમુદચંદ્ર સ્વપક્ષ રજૂ કર્યો કે, સ્ત્રી જૂઠ, સાહસ, કપટ, તુચ્છતા વગેરેનું ઘર છે, તેથી મેક્ષ માટે તે સર્વથા અગ્ય છે. આ દેવસૂરિએ સિદ્ધ કર્યું કે, સ્ત્રી એક મહાન સત્ત્વવાળી શક્તિ છે. તીર્થકરોની માતા, રાજમાતા મયણલદેવી, સીતા, સુભદ્રા, રેજિમતી, અનસૂયા વગેરે દેવી સ્વરૂપ નારીએ સાત્વિકતાનાં પ્રતીક છે. એટલે કે, સ્ત્રી પણ પિતાના સત્ત્વથી મોક્ષે જવાને ગ્ય છે. આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના પ૦૦ ઉત્તરે થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા. તે પછી આચાર્યશ્રીએ વાદિવેતાલ આ૦ શાંતિસૂરિની “ઉત્તરયણ”ની પાઈયવૃત્તિના આધારે સ્ત્રી-મુક્તિ અંગે અનેક વિકને ઉપન્યાસ કર્યો. વાદી કુમુદચંદ્ર આ વસ્તુને બરાબર ધારી શક્યા નહીં એટલે આચાર્યશ્રીએ એ વાદ ત્રણ વાર કહી સંભળાવ્યું. આ કુમુદચંદ્રે જણાવ્યું કે, “આ વાદને વસ્ત્ર પર લખી લે.” શાસ્ત્રાર્થસભાના પંડિત મહર્ષિએ જાહેર કર્યું કે, “વાદી વાદને લખવાનું કહે છે, એટલે મૌખિક વાદ સમાપ્ત થાય છે. મૌખિક વાદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy