SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૫૯. ભ૦ અમરસાગરસૂરિ– તેમણે સં. ૧૬૧ ના શ્રાવણ સુદ ૭ ના રોજ ભૂજમાં વધુ માન-પદ્ધસિહચરિત્રમ્ સર્ગઃ ૯ તથા “અંચલગચ્છપટ્ટાવલી રચ્યાં છે. આ ભટ્ટારકની એક સંયમધારી યતિશાખા પાલીતાણામાં હતી, જેમાં અનુક્રમે શ્રીમુનિશીલ, શ્રીગુણશીલ, ઉપા. વિનયશીલ થયા. ઉપા. વિનયશીલે સં. ૧૭૪૨ માં વડનગરમાં “અબુદાચલ ચૈત્યપરિપાટી–અબ્દક૯૫” રચ્ચે હતો. - સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદિ ૭ ના રોજ ધોળકામાં તેમને દેહોત્સર્ગ થયો. ૬૦. ભ૦ વિદ્યાસાગર–તેમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૭૯૭ના કાર્તિક સુદિ પના જ પાટણમાં થયે. ૬૧. ભ૦ ઉદયસાગર સં. ૧૭૨૫ માં મુસલમાનેએ જામનગર પર ચડાઈ કરી એ સમયે શ્રીસંઘે બધી જિનપ્રતિમાઓને ભેંયરામાં ભંડારી દીધી હતી અને બધાં મંદિરે બંધ કરી નાખ્યાં હતાં. ખરતરગચ્છના પૂ. દેવચંદ્રજી મહારાજની આજ્ઞાથી મંત્રી તલકશીએ સં. ૧૭૮૮ ના શ્રાવણ સુદિ ૭ને ગુરુવારે બધાં દેરાસર ખેલી નાખ્યાં, પ્રતિમાઓને ફરીથી સ્થાપના કરી અને ભ૦ ઉદયસાગરના ઉપદેશથી સં. ૧૭૯૦ માં તે બધાને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. ભટ્ટારકજીએ સં. ૧૮૦૨ ના શ્રાવણ સુદિ ૬ ના રોજ કલ્યાણસાગરસૂરિરાસ, સ્નાત્ર પંચાશિકા, - કલ્પસૂત્ર-લઘુવૃત્તિ, શ્રાવકવ્રતકથા' વગેરે રચ્યાં છે. તેમના ચાર શિષ્ય ઉપાધ્યાયપદધારી હતા. (૧) ઉપાઠ કીતિસાગર, (૨) ઉપા. દ સાગર, (૩) ઉપાટ જ્ઞાનસાગર અને (૪) ઉપાઠ બુદ્ધિસાગર. - આ પૈકીના ઉપાટ દર્શનસાગરનળિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકર નામના માણભટ્ટ હતા. તેણે પિતાની પત્ની મરી જતાં દીક્ષા લીધી હતી. તેમણે સં. ૧૮૨૭ માં “આદિનાથરાસ અને સ્તવનવીશી” રચ્યાં. ઉપા- જ્ઞાનસાગરે સં. ૧૮૨૮ માં સુરતમાં “અંચલગચ્છપટ્ટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy