SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ સમયે સં. ૧૮૦૭ના માહ સુદિ ૩ ને સોમવારે જોધપુરમાં ક્ષેમકીતિશાખાના વાચક શાંતિષ, તેમના શિષ્ય મુનિ જિનહર્ષ, તેમના શિષ્ય મુનિ સુખવર્ધન, તેમના શિષ્ય મુનિ દયાસિંહના શિષ્ય વાચક રૂપચંદ્ર “ગૌતમીયમહાકાવ્ય” (સર્ગઃ ૧૧)ની રચના કરી છે. ભ. જિનલાભે સં. ૧૮૩૩ ના કાર્તિક સુદિ ૫ ના રોજ મનાર બંદરમાં “આત્મબોધ” (પ્રકાશઃ ૪) રચ્યા છે. મુનિ ક્ષમા કલ્યાણે તેની પ્રથમ પ્રતિ લખી હતી. આ ૬૪. ભ૦ જિનચંદ્ર-તેમણે મારવાડ, મેટી મારવાડ, પૂર્વદેશ, દક્ષિણ સોરઠ વગેરે પ્રદેશમાં વિચરી તીર્થયાત્રાઓ કરી હતી. પૂર્વ દેશની યાત્રામાં ઉપાડ અમૃતધર્મ, ઉપાઠ ક્ષમાકલ્યાણ વગેરે તેમની સાથે હતા. તેમણે લખનૌમાં ત્રણ ચોમાસાં કર્યાં હતાં. મકસૂદાબાદના શ્રીસંઘે સં. ૧૮૪૫ના માહ સુદિ ૧૧ને શુક્રવારે મહિમાપુર માં બનાવેલા ભ૦ સુવિધિનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે તથા લઘુ આચાર્યાય ભટ જિનચંદ્રસૂરિએ મળીને પરસ્પરમાં એકતા સ્થાપી હતી. તેમને સ્વર્ગવાસ સં. ૧૮૫૬ ના જેઠ સુદ ૩ના રેજ સૂરતમાં થયો હતે. ૬૫. ભ૦ જિનહર્ષ–તેમણે સૂરત, દેવીકેટ, જાલેર, બિકાનેર વગેરે સ્થાનમાં જિનપ્રતિષ્ઠા કરી હતી. શત્રુંજય ગિરનાર, અંતરિક્ષજી, મકસીજી, કેસરિયાજી, સમેતશિખર વગેરે તીર્થોની યાત્રાએ કરી હતી. તેમણે સં. ૧૮૭૦ માં અને બીજી વાર સં. ૧૮૭૬ માં સંઘ સાથે સમેતશિખર તીર્થની યાત્રા કરી હતી. સં૧૮૬૬ ના ચિત્ર સુદિ ૧૫ ના રોજ સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. તેઓ છેલ્લા જેસલમેરના બાફણ બાદરમેલ ભેરાવરમલના સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા માટે નીકળ્યા અને મંડેવરમાં માસુ રહ્યા. ત્યાં જ સં. ૧૮૨ ના કાતિક વદિ ૯ ના દિવસે મંડોવરમાં અનશન લઈ સ્વગયા. શેઠ બાદરમલજી બાફણાને સંઘ ચોમાસા પછી મડવરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy