SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વર્ણનરૂપે છે. શેઠ નેમિકુમારના પુત્ર વામ્ભટે પિતાના “કાવ્યાનુશાસન માં જણાવ્યું છે કે, પં. દંડી, વામન અને વાલ્મટ વગેરેએ ૧૦ ગુણે બતાવ્યા છે જ્યારે મેં માત્ર મધુરતા, ઓજસ અને પ્રસાદ એ ત્રણ ગુણ જ માન્યા છે, જેમાં ઉપરના ૧૦ ગુણોને સમાવેશ થાય છે. એટલે કે કાવ્યાનુશાસનકાર વાડ્મટ અને અલંકારકાર વાક્ષટ ભિન્ન ભિન્ન છે, એક નથી. વામ્ભટ્ટાલંકારની ઉપર નીચેના વિદ્વાનોએ ટકાઓ રચેલી મળે છે – ' (૧) આ જિનવર્ધન, (૨) પં. ક્ષેમહંસ, (૩) પં. અનંતભટ્ટપુત્ર ગણેશ, (૪) ઉપા૦ રાજહંસ અને (૫) પં. સિંહદેવગણિ. પ૦ સિંહદેવ ગણિએ પિતાની ટીકામાં આ વાડ્મટને મહામાત્ય જણાવ્યું છે પણ તે ઠીક નથી. તે મહામાત્ય નહીં પણ મહામાન્ય શ્રેષ્ઠી હત. ૪. શરણુદેવ—તેને સુહડાદેવી નામે પત્ની હતી અને વિરચંદ, પાસડ, આંબડ તેમજ રાવણ નામે પુત્ર હતા. તેણે સં. ૧૨૭૫ માં આરાસણના દેરાસરમાં બે દાઢાધર કરાવ્યા. તેની ચાર પુત્રીઓએ સં. ૧૩૧૦ માં આરાસણના દેરાસરમાં ૧૭૦ તીર્થકરને પટ કરાવ્યો. આંબડને અભયસિરિ નામે પત્ની અને વીજે, ખેત નામે પુત્ર હતા. રાવણને હીરુ નામે પત્ની અને બેડસિહ પુત્ર હતો. બેડસિંહને જયતલદે નામની પત્ની હતી. - પ. વીરચંદ–તેને સુખમણિ પત્ની, પૂને નામે પુત્ર અને સેહગદેવી નામે પુત્રવધૂ હતી. શેઠ વીરચંદે સં. ૧૩૩૮ ના જેઠ ૧. કવિ વાહડ પોરવાડે પોતાના અલંકાગ્રંથના ચોથા પરિચ્છેદમાં– સમાન ર૦ ૨૮ રમKTમાં રૂ નૈતિઃ રૂા ચતુષાન્તિ મારૂ રૂા વાતાસૂમૌ૦ રૂજા દુર્વાસે રૂ. નિનનીવિજે. મારા ધરે મુન દા–વગેરે શ્લોકો સંભવતઃ શેઠ નેમિકુમારના પુત્ર કવિ વાહડના “નેમિનિર્વાણકાગ્ય'ના છે. આથી સંભવ છે કે આ બંને કવિ વાહડે સમકાલીન વિદ્વાનો હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy