SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમં ] આ॰ સવ દેવસૂરિ પત્ની અને શેઠ અભયકુમાર તથા સલક્ષણાદેવીની પુત્રી સુહડાદેવીએ આ મલધાગચ્છના ગુરુના ઉપદેશથી તેમજ પતિદેવની મદદથી ‘પર્યુષણાકલ્પ’નું નવું પુસ્તક લખ્યું. તેને કઈ સંતાન નહેાતું. ૪. યશેારાજ——તેને પૃથ્વીસિંહ, પ્રહ્લાદન, પેથુકાદેવી અને સજ્જનદેવી નામે સંતાન હતાં. પ. પ્રહ્લાદન—તેને માધલા નામે પત્ની હતી અને દેવસિંહ, સામસિંહ, પદ્માદેવી, સદ્નાદેવી અને રાણીદેવી નામે સંતાન હતાં. ૬. દેવસિંહ. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ૧૦) સાહી પલ્લીવાલના વંશ ૩૮૯ ૧. સાહી—તે પલ્લીવાલ હતા. તે પવિત્ર આત્મા, રૂપાળા અને વિવેકી શ્રાવક હતા. તેને સુહુવા નામે પત્ની હતી. ૨. પાસનાગ—તેને પદ્મશ્રી પત્ની હતી. તેમને સાજન, રાણક, આહડ, પદ્મી અને જેસલદેવી નામે સંતાન હતાં. રાણક આરાધનાપૂર્વક મરણ પામ્યા. ૩. આહડ—તેને ચંદ્ન નામે પત્ની હતી અને આસરાજ, શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન હતાં. વાસ્તુની પુત્રી મનસુદરી અને પદ્મસિંહની પુત્રી ભાવસુ'દરી કીર્તિગણિનીની શિષ્યા બની હતી. ૪. શ્રીપાલ—તેને વેલુ નામે પત્ની હતી. તેના પુત્રનું નામ વીલા હતું. તેણે સ૦ ૧૩૦૩ના કાર્તિક સુદિ ૧૦ ને રવિવારે ભરૂચમાં આ કુલપ્રભસૂરિના ઉપદેશથી પેાતાનું ન્યાયસંપન્ન દ્રવ્ય ખરચી આ હેમચંદ્રસૂરિના ત્રિષષ્ટિશલાકાપુરુષના ભ॰ અજિતનાથથી ભ॰ શીતલનાથ સુધીના તી કરાનાં ચરિત્રાની પ્રતિ લખાવી અને આ ં કુલપ્રભસૂરિના પટ્ટધર આ॰ નરેશ્વરસૂરિ પાસે તેનું વ્યાખ્યાન કરાવી સાંભળ્યું. તેની પુષ્પિકામાં પલ્લીવાલવ શનું વર્ણન આ પ્રમાણે છે तन्वाना सकला कलायमधिकं वर्यार्जवालंकृतं, लक्ष्मीशनटीव यं श्रितवती प्रेङ्खद्गुणाध्यासितम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy