SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ આ૦ વિમલચંદ્રસૂરિની પાટે આ ઉદ્યોતનસૂરિ થયા, જે વડગચ્છના પ્રધાન આચાર્ય હતા. ઈતિહાસને સાધારણ અભ્યાસી પણ એ ચોક્કસ રીતે માને છે કે, ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી શરૂઆતથી ગણધરવંશ, વાચકવંશ, યુગપ્રધાનવંશ તથા ઉપકેશવંશમાં; વિકમની બીજી સદીથી ગણધરવંશના નાગેન્દ્રકુલ, ચંદ્રકુલ, નિતિકુલ તથા વિદ્યાધરકુલમાં વિકમની છઠ્ઠી સદીથી વનવાસીગ૭, વિહારુકગચ્છ, રાજગચ્છ, વટેશ્વરગ૭, ચૈત્યવાસી ગ તથા સંવેગી ગચ્છમાં અને વિક્રમની બારમી સદીથી વડગ૭ના વાદિદેવાચાર્ય અ૭, તપાગચ્છ, અંચલગચ્છ તથા ખરતરગચ્છમાં ઘણું પ્રભાવક આચાર્યો થઈ ગયા. ગછવિસ્તાર– ભારતના જૈન સંઘને સંગઠિત બની રહેવું ઘણું જરૂરી હતું, આથી ભવ પાર્શ્વનાથ અને ભવ્ય મહાવીરસ્વામીની પરંપરાને શ્રમની મૂળ ચાર શાખા, ઉપશાખા તથા મુનિસંઘે, અમુક અમુક ક્ષેત્રમાં સતત વિહાર કરતા રહેતા અને ધર્મને પ્રચાર કર્યો જતા હતા. આથી સમય જતાં આ મુનિસંઘે, તેને પ્રદેશ, મુખ્ય નગર, મુખ્ય મુનિ– નાયક કે નોંધપાત્ર ઘટનાના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. આવી રીતે ધીમે ધીમે ૮૪ ગ બન્યા હતા. ચૈત્યવાસીઓએ જૈન સંઘના આ એકમને ખરી ખબરદારીથી ટકાવી રાખ્યું હતું. વિકમની બીજી સહસ્ત્રાબ્દીમાં નીકળેલા ગચ્છાએ આ એકમને તેડી નાખ્યું અને છેવટે વિક્રમની ૧૬મી શતાબ્દીમાં નીકળેલા સ્વચ્છદી મતપંથએ તે આ એકમને વિનાશના પંથે મૂકી દીધું. જેમ જૈન શ્રમણામાં ૮૪ ગ થયા તેમ ગૃહસ્થ જૈનેમાં પણ ગામ વગેરેના કારણે ૮૪ જ્ઞાતિઓ બની. જેમ કેઓસવાલ, શ્રીમાલ, પરવાલ, પલ્લીવાલ, ડીસાવાલ, અગ્રવાલ વગેરે પ્રાચીનકાળમાં ૮૪ જ્ઞાતિઓ જૈન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy